અમરેલી જિલ્લા આહીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 17 નવદંપતીએ પ્રભુતામાં ડગ માંડ્યા

આહિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહિર સમાજની 16 દીકરીઓ સાથે અતીત સાધુ સમાજની એક દીકરીએ પ્રભુતામાં પગલા માંડ્યા

New Update
  • અમરેલી જિલ્લા આહીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન

  • આહીર ચેરિટેબલ ટ્રસ્ટ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન

  • સમાજના સામાજિક-રીતિ રીવાજ મુજબ લગ્નપ્રસંગ યોજાયો

  • 17 નવદંપતીએ પ્રભુતામાં ડગ માંડી લગ્નજીવનની કેડી કંડારી

  • નવદંપતીઓને ઘર ઉપયોગી 272 વસ્તુનું કરિયાવર અપાયું 

અમરેલી જિલ્લા આહીર ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત છઠ્ઠા સમૂહ લગ્નોત્સવમાં સમાજના સામાજિક-રીતિ રીવાજ મુજબ 17 નવદંપતીએ પ્રભુતામાં ડગ માંડી લગ્નજીવનની કેડી કંડારી છે. અમરેલી શહેરના ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે અમરેલી જિલ્લા આહિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહિર સમાજની 16 દીકરીઓ સાથે અતીત સાધુ સમાજની એક દીકરીએ પ્રભુતામાં પગલા માંડ્યા છે.

જેમાં સમાજના સામાજિક-રીતિ રીવાજ મુજબ આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં તમામ નવદંપતીઓને 272 જેટલી ઘર ઉપયોગી ચીજ-વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુ બેરાવિધાનસભા નાયબ દંડક કૌશિક વેકરીયાસાંસદ પૂનમ માડમલોકસાહિત્યકાર માયા આહીરઅંબરીશ ડેરજનક તલાવીયાજે.વી.કાકડીયા સહિતના રાજશ્વી મહાનુભાવોની ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.