અમરેલી : ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

અમરેલી જિલ્લા SOG પોલીસે ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવી ખેડૂતો સાથે છેતરપિંડી કરતા ભેજાબાજ શખ્સને રૂ. 12.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અમરેલી જિલ્લાSOG પોલીસે ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવી ખેડૂતો સાથે છેતરપિંડી કરતા ભેજાબાજ શખ્સને રૂ. 12.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રોડ પર ગેસ એજન્સીના ગોડાઉનમાં બનાવટી જંતુનાશક દવા બનાવવામાં આવી રહી હોવાની બાતમીના આધારે અમરેલી SOG પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની રેડમાં ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ બનાવવા ડુપ્લીકેટ અને અનઅધિકૃત બનાવટી પેકિંગ સહિતનો સામાન મળી આવ્યો હતો. પોલીસે  જંતુનાશક દવાઓ બનાવવાની ફેક્ટરીના સંચાલક અલ્કેશ ચોડવડિયાની ધરપકડ કરી હતીઅને જંતુનાશક બોટલ નંગ 876 જેની કિંમત રૂ. 12 લાખ 39 હજાર અને પ્લાસ્ટિકની બોટલ પર બનાવટી સ્ટીકર ચોંટાડવા અને બોટલ સીલ કરવાના અલગ અલગ 7 મશીનની કિંમત રૂપિયા 49 હજાર મળી કુલ રૂપિયા 12 લાખ 88 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.