અમરેલી : જંગલ વિસ્તારમાં એશિયાટિક સિંહો સહિત વન્યપ્રાણીઓ માટે વનવિભાગે પાણીના પોઇન્ટ કાર્યરત કર્યા...

ભારત દેશની આન, બાન અને શાન સમા એશિયાટિક સિંહો સહિત વન્યપ્રાણીઓને ઉનાળામાં પીવાના પાણી માટે વલખાં ન મારવા પડે તે માટે અમરેલીના ધારી-ગીર પૂર્વ વનવિભાગ દ્વારા વિવિધ સ્થળે પાણીના પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.

New Update
  • ધારી-ગીર પૂર્વ વનવિભાગ દ્વારા આગોતરું આયોજન

  • એશિયાટિક સિંહો સહિત વન્યપ્રાણીઓની લેવાય દરકાર

  • જંગલમાં વિવિધ સ્થળે પાણીના પોઇન્ટ કાર્યરત કરાયા

  • 250 જેટલા પાણીના પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા

  • પાણીના ટેન્કરપવનચક્કી સહિતની સુવિધા ઉભી કરાય

Advertisment

ભારત દેશની આનબાન અને શાન સમા એશિયાટિક સિંહો સહિત વન્યપ્રાણીઓને ઉનાળામાં પીવાના પાણી માટે વલખાં ન મારવા પડે તે માટે અમરેલીના ધારી-ગીર પૂર્વ વનવિભાગ દ્વારા વિવિધ સ્થળે પાણીના પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.

દેશ-વિદેશમાંથી સહેલાણીઓ અમરેલીના ધારી-ગીર વિસ્તારમાં એશિયાટિક સિંહો સહિત વન્યપ્રાણીઓના દર્શન માટે આવે છેત્યારે હાલ ધારી-ગીરના જંગલો સાથે રેવન્યુ વિસ્તારોમાં કાળઝાળ ઉનાળામાં પીવાના પાણી માટે વન્યપ્રાણીઓને વલખાં ન મારવા પડે તે માટે વનવિભાગ દ્વારા વિવિધ સ્થળે 250 જેટલા પીવાના પાણીના પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છેજ્યાં પાણીના ટેન્કરપવનચક્કી જેવા સાધનો વડે જંગલ વિસ્તાર સાથે રેવન્યુના વિસ્તારોમાં સિંહો પાણી માટે ભટકે નહીં તે અંગે ધારી વનવિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. ગત ચોમાસામાં જે કુદરતી પાણીના પોઇન્ટ સૂકાઈ ગયા હતાત્યાં પણ વનવિભાગે પીવાનું પાણી જંગલના રાજા સુધી પહોંચાડી દીધું છે. જે અંગે ધારી ગીર વનવિભાગના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવે વિસ્તૃત માહિતી આપી હતી.

 

Advertisment
Read the Next Article

સુરત : સીટી બસના ડ્રાઈવરો-કંડક્ટરો દ્વારા મુસાફરોને કરાતી હેરાનગતી, FIR દાખલ કરાશે : મેયર દક્ષેશ માવાણી

સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી

New Update
  • શહેરભરના વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા

  • સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી

  • ડ્રાઈવર અને કંડકટરો દ્વારા કરાતી હેરાનગતી

  • મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી

  • 218 બસ ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરાય 

Advertisment

સુરત શહેરમાં સીટી બસના ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા મુસાફરોને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદોને લઈને FIR દાખલ કરવા સુધી મનપા તંત્રએ તૈયારી બતાવી છે.

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં દોડતી સીટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સીટી બસના ડ્રાઈવર અને કંડકટરો દ્વારા મુસાફરોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 17 મહિનામાં 1032 કંડકટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ટિકિટ નહીં આપવાની ફરિયાદ લોકોએ કરી હતીજ્યારે 218 બસ ડ્રાઈવર સામે પણ ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે.

 વધુમાં ગત વર્ષે સર્જાયેલા બસ અકસ્માત બાદ પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કેપાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ ટિકિટના દુષણના લીધે મોટું નુકશાન થઈ રહ્યું છેત્યારે હવે જે તે એજન્સીને બ્લેક લિસ્ટ કરવી તેમજ લાઇસન્સ સસ્પેન્સ કરવા સાથે FIR દાખલ કરવામાં આવશે તેવું મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યુ હતું.

Advertisment