અમરેલી:વડિયામાં યુવતી પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર

અમરેલીના વડિયામાં ચાર શખ્સે યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું,જે ઘટના અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

New Update

અમરેલીમાં સામૂહિકદુષ્કર્મનો મામલો

યુવતીના મિત્રએ લગ્નની આપી હતી લાલચ

21 વર્ષીય યુવતી બની દુષ્કર્મનોશિકાર

ચાર નરાધમોએ આચર્યું દુષ્કર્મ

પોલીસે બે આરોપીની કરી ધરપકડ

અમરેલીના વડિયામાં ચાર શખ્સે યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું,જે ઘટના અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

અમરેલી જિલ્લાના વડિયામાંઅનિલ વિનુભાઇ દેસાઇ નામના શખ્સે એક21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપીને પોતાની મીઠી મીઠી વાતોમાં ભોળવીને તેના મિત્ર પ્રિતેશ રસિકભાઈ આસોદરિયાના ઘરે લઈ ગયો હતોજ્યાં યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો.અનિલ દેસાઇએ યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના મિત્ર પ્રિતેશ રસિકભાઈ આસોદરિયાદકુ ઉર્ફે નયન રામજીભાઇ વેકરિયા અને સોમા હરપાલભાઇ આલાણીના નામના અન્ય ત્રણ નરાધમોએ પણ યુવતી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.જે ઘટનામાં ભોગ બનનાર યુવતીએ આપવીતી પરિવારજનોને જણાવ્યા બાદ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી,યુવતીની ફરિયાદનેઆધારે પોલીસે અનિલ દેસાઈ અને સોમા આલાણીનીધરપકડ કરી હતી.જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ માટેનાપોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

વલસાડ : ધરમપુરમાં પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ

ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

New Update
  • પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ

  • ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી

  • ડેમ બનવાથી આદિવાસી વિસ્તારો થશે ખાલી 

  • રાજ્યભરમાંથી આદિવાસી સમાજના યુવાનો જોડાયા

  • MLA અનંત પટેલઅમિત ચાવડા પણ રેલીમાં જોડાયા

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી.આ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલકોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પારતાપી અને નર્મદાએ ત્રણેય નદીના નામ છે. એટલે આ પ્રોજેક્ટનું નામ છે પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ. પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે. જેમાં એક ઝરી ડેમ છે જે મહારાષ્ટ્ર-ગુજરાતની બોર્ડર પાસે નાસિકમાં બનશે. તેમાં 7 ગામના લોકોને અસર થશે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોહના કાવચડી ડેમ બનવાનો છે. જેમાં 12 ગામના લોકોને અસર થશે. ધરમપુર તાલુકાના પૈખેડ ડેમમાં 13 ગામ જશે.જ્યારે ધરમપુર તાલુકાના ચાસમાંડવા ડેમમાં 14 ગામ જશે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ચિકાર ડેમ બનવાનો છેજેમાં 12 ગામ જશે. વઘઇ તાલુકાના ડાબદર ડેમમાં 18 ગામ જશે અને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળવણ ડેમમાં 23 ગામ જશે. એટલે આ પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ થકી કુલ 118થી પણ વધારે ગામ અને તેની આસપાસના ગામડાના અંદાજે પાંચ લાખથી પણ વધારે લોકોને ગામ ખાલી કરીને બીજે વિસ્થાપિત થવું પડે તેમ છે. જ્યાં આ ડેમ બનવાના છે અને ગામો ખાલી કરવાના છે તે મોટાભાગે આદિવાસી વિસ્તાર છે.

DPR મુજબ સરકાર આ ડેમોનું પાણી મુંબઈ,સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઈ જવા માંગે છે. ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચી શકે એટલા માટે ત્યાં અત્યારથી પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. આ પંથકના આદિવાસીઓ કહે છે કે કોઈને પાણી મળે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દઈએ.

2022માં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કેપાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે. ત્યારથી આ પ્રોજેક્ટને લઈને શાંતિનો માહોલ હતો. પરંતુ થોડા દિવસ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા કે લોકસભામાં આ પ્રોજેકટનોDPR રજૂ થયો છેએટલે ફરી આ પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે.