અમરેલી : વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા આવ્યા,હાથી,ઘોડા,અને ઊંટ સાથેની જાન પર થયો નોટોનો વરસાદ

પશુપાલક પરિવારે પોતાના દીકરાના લગ્ન શાહી ઠાઠમાઠથી ઉજવ્યા હતા. લગ્નની ખાસિયત એ રહી કે વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા આ લગ્ન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા

New Update
  • નાળ ગામમાં યોજાયા શાહી લગ્ન

  • વરરાજાનો હેલિકોપ્ટરમાં શાહી અંદાજ

  • 100 કાળા રંગની કારના કાફલાએ પણ જમાવ્યું આકર્ષણ

  • હાથી,ઘોડા,અને ઊંટ સાથેની જાન જોવા લોક ટોળા ઉમટ્યા 

  • ફુલેકા પર થયો નોટોનો વરસાદ 

Advertisment

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના નાળ ગામમાં શાહી લગ્ન યોજાયા હતા.વરરાજા આંકોલડા ગામમાં હેલિકોપ્ટરમાં જાન લઈને ગયો હતો. તેમજ સાથે 100 કાળા રંગની ફોર વ્હીલ ગાડી જોડાઈ હતી. આ ઉપરાંત હાથીઘોડાઉંટ સાથે શાહી જાન નીકળી હતી અને ફૂલેકામાં રૂપિયાનો વરસાદ થયો હતો.

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના નાળ ગામમાં લગ્નની મોસમ ચાલી રહી છે.ત્યારે એક પશુપાલક પરિવારે પોતાના દીકરાના લગ્ન શાહી ઠાઠમાઠથી ઉજવ્યા હતા. લગ્નની ખાસિયત એ રહી કે વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યા હતા.

હાથીઘોડા અને ઉંટ સાથે નીકળેલી આ શાહી જાન પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. ગામડામાં યોજાયેલા આ અનોખા લગ્ન પ્રસંગે હજારો લોકો ઉમટી પડ્યા હતા. રાજાશાહી સમયની યાદ તાજી કરાવતા આ લગ્ન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

અમરેલી જિલ્લાના આંકોલડા ગામ એક અનોખા નજારાનું સાક્ષી બન્યું હતું,જ્યારે એક હેલિકોપ્ટર ગામના આકાશમાં ગુંજી ઉઠ્યું હતું.ગામના લોકો કૌતુક અને આશ્ચર્યથી હેલિકોપ્ટરને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ હેલિકોપ્ટર સાવરકુંડલાના નાળ ગામના પશુપાલક હરસુર કસોટીયાના દીકરા હિતેશના લગ્ન પ્રસંગે આવ્યું હતું.

હિતેશ જાનૈયાઓ સાથે હેલિકોપ્ટરમાં સવાર થઈને આંકોલડા ગામે પોતાના લગ્ન માટે આવ્યા હતા.વરરાજાની જાન પણ શાહી અંદાજમાં 100 જેટલી કાળા રંગની ફોર વ્હીલ ગાડીઓના કાફલા સાથે નાળ ગામથી આંકોલડા ગામે પહોંચી હતી.આ અનોખી જાન આ નાના એવા ગામ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Advertisment
Read the Next Article

ઝઘડિયા : અવિધાના આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,

New Update
  • ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલની સુવિધામાં વધારો

  • આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા કાર્યરત છે હોસ્પિટલ

  • 60 વર્ષ પહેલા હોસ્પિટલનો થયો હતો પ્રારંભ

  • અદ્યતન એક્સ-રે મશીનની સુવિધાનો થયો પ્રારંભ

  • અંકલેશ્વર AIA પ્રમુખના હસ્તે એક્સ-રેનો કરાયો પ્રારંભ  

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ખાતે સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી 60 વર્ષ પહેલા આરોગ્ય વર્ધક મંડળ દ્વારા સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતોહાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય બીમારીમાં પણ વધારો થતાં આરોગ્ય વર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધાઓ સમયાંતરે ઉભી કરવામાં આવી રહી છેઆજરોજ આ હોસ્પિટલમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડીયાના હસ્તે ડિજિટલ એક્સ-રે મશીનની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સાથે  સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સંસ્થાના 98 વર્ષીય કાંતિ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા,સંસ્થાના પ્રમુખ કિરીટ બી પટેલ દ્વારા સંસ્થાના 60 વર્ષના ઉતાર ચઢાવથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા,અને તેમના દ્વારા લક્ષમાં લેવાયેલ મહિલાઓયુવાનો માટેની‌‌ વિવિધ યોજનાઓ આવનારા સમયમાં અવિધા ગામ ખાતે ઉભી કરવામાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.

Advertisment