અમરેલી: મેઘ મહેર બાદ ગ્રામ્ય વિસ્તારના માર્ગો ધોવાઈ જવાને કારણે લોકો અને સ્થાનિકોને ભારે હાલાકી
અમરેલી જીલ્લામાં ભારે વરસાદ, ભારે વરસાદના કારણે લોકોને હાલાકી, ગ્રામ્ય વિસ્તારના માર્ગો ધોવાયા.
BY Connect Gujarat29 July 2023 10:05 AM GMT
X
Connect Gujarat29 July 2023 10:05 AM GMT
અમરેલી જીલ્લામાં ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના માર્ગો ધોવાય જતા સ્થાનિકો અને ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું ખોડીયાણા ગામ, ખોડીયાણા ગામ અને આંબરડી ગામનો જોડતા બ્રિજની બે મહિનાથી કામગીરી શરૂ છે. બ્રિજની શરૂઆત થતા બાજુમાં ડાયવર્ઝન કાઢયુ હતું પણ આ ધાતર વડી નદી પર વહેતા પાણીના પૂર પ્રકોપથી ડાયવર્ઝન ધોવાઈ જાય છે જેની હાલાકી ખોડીયાણા વાસીઓને વેઠવી પડે છે.
ખોડીયાણાથી આંબરડી આવવાના આ માર્ગ પણ ડાયવર્ઝનમાં પાણી હોવાથી વાહનો ચાલી શકતા નથી ત્યારે ના છૂટકે વાહનચાલકોને છેક આદસંગ ગામ થઈને આંબરડી આવવાની ફરજ પડી રહી છે જેને લઈને સ્થાનિકો તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
Next Story