અમરેલી: રાજુલામાં વન વિભાગના મહિલા ગાર્ડ પર જૂની અદાવતની રીસ રાખીને હિચકારા હુમલાથી ચકચાર

અમરેલી જિલ્લાના રાજુલા વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા ફોરેસ્ટ ગાર્ડ પર પૂર્વ સરપંચ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો,ઈજાગ્રસ્ત મહિલા ગાર્ડને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.

New Update

અમરેલીના રાજુલામાં મહિલા વનકર્મી પર હુમલો 

જૂની અદાવતની રીસ રાખીને હુમલાખોરે કર્યો હુમલો

નેસડી ગામના પૂર્વ સરપંચ દ્વારા કરાયો હુમલો  

પેટ્રોલિંગ માંથી પરત ફરીથી વખતે સર્જાઈ ઘટના 

મહિલા વન કર્મી હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમરેલી જિલ્લાના રાજુલા વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા ફોરેસ્ટ ગાર્ડ પર પૂર્વ સરપંચ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો,ઈજાગ્રસ્ત મહિલા ગાર્ડને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.
અમરેલી જિલ્લાના રાજુલા વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા ફોરેસ્ટ ગાર્ડ મોડી રાત્રીએ પેટ્રોલિંગ માંથી પરત ફરી રહ્યા હતા,તે દરમિયાન નેસડી ગામના પૂર્વ સરપંચ દ્વારા તેણી પર હુમલો કરવામાં આવ્યો હતો.જાણવા મળ્યા મુજબ રાત્રે ફરજ પરથી પરત ફરીથી વખતે જૂની અદાવતની રીસ રાખીને મહિલા ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો હતો,અને હુમલાખોર દ્વારા લોખંડના રોડથી મહિલા ગાર્ડના માથા,પગ સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.અને ઈજાગ્રસ્ત મહિલા ગાર્ડને હોસ્ટિપટલમાં ખસેડવામાં આવી હતી.આ હુમલો નેસડી ગામના પૂર્વ સરપંચ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે,અને ડુંગર પોલીસ દ્વારા ગુનો દર્જ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Read the Next Article

વલસાડ : કપરાડાનાં બરપુડામાં વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે ખુલ્લામાં અગ્નિસંસ્કાર કરવાની મજબૂરી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો.

New Update
  • કપરાડામાં અગ્નિસંસ્કાર માટેની મુશ્કેલી

  • વરસતા વરસાદમાં મૃતદેહને અગ્નિદાહ

  • તાડપત્રી બાંધીને અગ્નિદાહ આપ્યો

  • નનામી સાથે બે કિ.મી કાચા રસ્તા પર ચાલ્યા લોકો

  • સ્મશાન માટે પાકું મકાન ન હોવાથી મુશ્કેલી 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસતા વરસાદમાં મૃતકના અગ્નિસંસ્કાર કરવાની વિટંબણા સર્જાય છે,કાચા રસ્તા પર જીવના જોખમે નનામી લઈને જતા લોકોએ તાડપત્રીના સહારે પાર્થિવદેહને અગ્નિદાહ આપ્યો હતો. 

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. સુવિધાઓથી વંચિત બારપુડાના મૃતકની અંતિમયાત્રા વરસતા વરસાદમાં નીકળી હતી.પરંતુ નનામી સાથે સ્મશાન સુધી જવા માટે પાકો રસ્તો ન હોવાને કારણે લોકોએ જોખમ ખેડીને બે કિલોમીટર સુધી ચાલતા જવું પડ્યું હતું.ઉપરાંત અંતિમવિધિ માટે લાકડા અને ટાયર હાથમાં લઈને લોકો બે કિલોમીટર સુધી ચાલતા જઈને સ્મશાન સુધી પહોંચ્યા હતા. 

ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં સ્મશાન ભૂમિનું પાકું મકાન ન હોવાથી મૃતકનાં અંતિમ સંસ્કાર ખુલ્લા આકાશ નીચે કરવામાં આવે છે.ધોધમાર વરસાદ વચ્ચે લોકોએ તાડપત્રી મૃતકની ચિત્તા પર બાંધી ત્યારબાદ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.વરસતા વરસાદની વચ્ચે તાડપત્રી ઢાંકી અંતિમ સંસ્કાર કરવામાં આવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો.અને લોકોએ સ્મશાનના ડેવલપમેન્ટ માટેની માંગ કરી હતી.