અમરેલી : માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક,ખેત જણસો વેચવા માટે વાહનોની લાગી લાંબી કતાર

અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખેત જણસો વેચવા માટે ખેડૂતોએ વાહનો સાથે લાંબી લાઈન લગાવી છે,સામાન્ય દિવસોમાં માર્કેટિંગ યાર્ડ રવિવારે બંધ રાખવામાં આવે છે

New Update
  • માર્કેટિંગ યાર્ડમાં વાહનોની લાગી લાંબી કતાર

  • ખેત જણસો વેચવા માટે ખેડૂતો ઉમટ્યા

  • રવિવારે પણ યાર્ડ વાહનોથી ધમધમતું રહ્યું 

  • યાર્ડમાં ધાણાની થઇ મબલખ આવક

  • 40 વીઘા જમીનમાં વાહનો કરાયા પાર્ક

Advertisment

અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખેત જણસો વેચવા માટે વાહનોની લાંબી કતાર લાગી છે,અને યાર્ડ ધાણાની આવકથી ઉભરાયું છે.

અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં ખેત જણસો વેચવા માટે ખેડૂતોએ વાહનો સાથે લાંબી લાઈન લગાવી છે,સામાન્ય દિવસોમાં માર્કેટિંગ યાર્ડ રવિવારે બંધ રાખવામાં આવે છે,પરંતુ ખેત જણસો માટે યાર્ડ ખુલ્લું રાખવામાં આવ્યું છે.આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક થતા યાર્ડ ધાણાથી ઉભરાયું છે.માર્કેટિંગ યાર્ડથી બાયપાસ રોડ સુધી 7 કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગી છે.વાહનોના વધતા ભારણને કારણે યાર્ડ દ્વારા 40 વીઘા જમીનમાં વાહનોને પાર્ક કરવામાં આવ્યા છે.યાર્ડમાં ધાણાની 60 થી 70 હજાર મણ આવક થઇ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: મામલતદાર કચેરી નજીકના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ

ગેરકાયદેસર ઝૂંપડાઓ અને દબાણો સામે તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. આજે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ બળ તથા નગરપાલિકા કર્મચારીઓની મદદથી 50થી વધુ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા.

New Update
  • ભરૂચમાં દબાણ હટાવો ઝુંબેશ

  • મામલતદાર કચેરી નજીકના દબાણો દૂર કરાયા

  • પોલીસ બંદોબસ્ત પણ સાથે રખાયો

  • સરકારી જગ્યામાં કરાયા હતા દબાણ

  • સ્થાનિકો અને આપ દ્વારા નોંધાવાયો વિરોધ

Advertisment
ભરૂચ મામલતદાર કચેરી નજીક ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો
ભરૂચ શહેરની મધ્યમાં આવેલ મામલતદાર કચેરી તથા કલેક્ટર કચેરી સંકુલની સામે વર્ષોથી વસવાટ કરતાં ગેરકાયદેસર ઝૂંપડાઓ અને દબાણો સામે તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. આજે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ બળ તથા નગરપાલિકા કર્મચારીઓની મદદથી 50થી વધુ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા.દબાણ હટાવ અભિયાન દરમિયાન કોઈપણ અનિરછનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
આ ઝૂંપડાઓ સરકારી જમીન પર અનાધિકૃત રીતે બાંધવામાં આવ્યા હતા અને તંત્રની  સૂચનાઓ છતાં દબાણો દૂર ન થતાં દબાણ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે તંત્રની દબાણ હટાવો કામગીરી સામે સ્થાનિકો અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તંત્ર દ્વારા નાના લોકોને હેરાન કરવામાં આવે છે પરંતુ અન્ય સ્થળોએ ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવતા નથી.
Advertisment