અમરેલી પંથકના હનુમાનપુરા વિસ્તારના સ્થાનિકોએ GIDC તરફ જતાં માર્ગ પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો.
અમરેલીના હનુમાનપુરા વિસ્તારના સ્થાનિકો સહિત વેપારીઓએ GIDC તરફ જતાં માર્ગ પર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યુ હતું કે, અહીના માર્ગ પરથી રોજના 40થી વધુ મોટા વાહનો અવરજવર કરે છે. જેના કારણે આસપાસની સોસાયટીમાં રહેતા અને શાળાએ જતાં બાળકોમાં અકસ્માતની ભીતિ સેવાય રહી છે. જેથી અકસ્માતની શક્યતાને લઈને સોસાયટીના રહીશોએ GIDC તરફ જતાં વાહનો થોભાવી દીઘા હતા. આ મામલે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે.