New Update
અમરેલીના ઇંગોરાળા ગામે મહિલાનો મૃતદેહ મળતા ચકચાર
ચોરીના ઇરાદે આવેલા ચોર દ્વારા હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક અનુમાન
મૃતક વયોવૃદ્ધ મહિલાની કાનની સોનાની કડીઓ ગુમ
મકાન બાજુની દુકાનમાં તસ્કરોએ સામાન કર્યો વેરવિખેર
મૃતક વૃદ્ધાના શરીર પર એક પણ ઇજાના નિશાન નહિ
અમરેલી જિલ્લાના ખાંભાના ઈંગોરાળા ગામમાં ચોરીની ઘટના સાથે એક વૃદ્ધ મહિલાનું પણ રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું,જોકે ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ વૃદ્ધ મહિલાની હત્યા કરીને ચોરીને અંજામ આપ્યો હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.
અમરેલી જિલ્લાના ખાંભાના ઈંગોરાળા ગામમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી,જોકે ગામમાં રહેતી એક વૃદ્ધ મહિલાનું પણ રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું,અને તેમના કાન માંથી સોનાની કડીઓ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે વૃદ્ધાના ઘરની બાજુની દુકાનનો સમાન પણ વેરવિખેર મળી આવ્યો હતો,ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા અમરેલી LCB પોલીસ દ્વારા ઘટના સ્થળ પર દોડી આવીને તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસમાં મૃતક વૃદ્ધાના શરીર પર એક પણ ઇજાના નિશાન મળી આવ્યા નહોતા,તેથી વૃદ્ધાના મોતની ઘટના રહસ્યમય બની ગઈ હતી.પોલીસ દ્વારા ઘટનાનો ભેદ ઉકેલવા માટે મૃતક વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.અને રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી.