અમરેલી : નિર્વસ્ત્ર હાલતમાં મહિલાનો મૃતદેહ મળવાના કેસમાં નવો વળાંક, ફોરેન્સિક રિપોર્ટમાં હત્યા કરાય હોવાનું બહાર આવ્યું

અમરેલી પંથકમાં ગાંગડીયા નદીના બ્રિજ નીચેથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવેલ મહિલાના મૃતદેહ મામલે ફોરેન્સિક રિપોર્ટ બાદ આ મહીલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે.

New Update
  • લાઠી પંથકમાં ગાંગડીયા નદીના બ્રિજ પાસેની ઘટના

  • નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યો હતો મહિલાના મૃતદેહ

  • પોલીસે મહિલાના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યુ

  • ફોરેન્સિક રિપોર્ટમાં હત્યા કરાય હોવાનું બહાર આવ્યું

  • સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં ગાંગડીયા નદીના બ્રિજ નીચેથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવેલ મહિલાના મૃતદેહ મામલે ફોરેન્સિક રિપોર્ટ બાદ આ મહીલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે.

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં ગાગડીયા નદીના બ્રિજ નીચેથી ગત તા. 28 માર્ચ-2025ના રોજ નિર્વસ્ત્ર હાલતમાં એક મહિલાનો પાણીમાં તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને શંકાસ્પદ લાગતા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો. જેમાં ફોરેન્સિક રિપોર્ટમાં મહીલાની હત્યા કરી હોવાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી હતી.

પોલીસ તપાસમાં આ મહીલાની ઓળખ જમુબાઇ ગોટીયા રાવતલેજે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદા તાલુકાના પીપરા ગામની હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ મહિલાની હત્યા ગળે ટૂંપો આપીને કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ સાથે જ મૃતક મહીલા તા. 26 માર્ચ-2025ના રોજ મહારાષ્ટ્રથી ગુમ હોવાની માહિતી પણ સામે આવી છે. મૃતકના પરિવારજનો સાથે સંપર્ક કરીને મહિલા કેમ ગુમ થઈકોની સાથે લાઠી સુધી પહોંચીતે સમગ્ર બાબતો પર અમરેલી પોલીસે જીણવટભરી તપાસ શરૂ કરી છે.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.