અમરેલી : નિર્વસ્ત્ર હાલતમાં મહિલાનો મૃતદેહ મળવાના કેસમાં નવો વળાંક, ફોરેન્સિક રિપોર્ટમાં હત્યા કરાય હોવાનું બહાર આવ્યું

અમરેલી પંથકમાં ગાંગડીયા નદીના બ્રિજ નીચેથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવેલ મહિલાના મૃતદેહ મામલે ફોરેન્સિક રિપોર્ટ બાદ આ મહીલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે.

New Update
  • લાઠી પંથકમાં ગાંગડીયા નદીના બ્રિજ પાસેની ઘટના

  • નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યો હતો મહિલાના મૃતદેહ

  • પોલીસે મહિલાના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યુ

  • ફોરેન્સિક રિપોર્ટમાં હત્યા કરાય હોવાનું બહાર આવ્યું

  • સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં ગાંગડીયા નદીના બ્રિજ નીચેથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવેલ મહિલાના મૃતદેહ મામલે ફોરેન્સિક રિપોર્ટ બાદ આ મહીલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે.

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં ગાગડીયા નદીના બ્રિજ નીચેથી ગત તા. 28 માર્ચ-2025ના રોજ નિર્વસ્ત્ર હાલતમાં એક મહિલાનો પાણીમાં તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને શંકાસ્પદ લાગતા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો. જેમાં ફોરેન્સિક રિપોર્ટમાં મહીલાની હત્યા કરી હોવાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી હતી.

પોલીસ તપાસમાં આ મહીલાની ઓળખ જમુબાઇ ગોટીયા રાવતલેજે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદા તાલુકાના પીપરા ગામની હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ મહિલાની હત્યા ગળે ટૂંપો આપીને કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ સાથે જ મૃતક મહીલા તા. 26 માર્ચ-2025ના રોજ મહારાષ્ટ્રથી ગુમ હોવાની માહિતી પણ સામે આવી છે. મૃતકના પરિવારજનો સાથે સંપર્ક કરીને મહિલા કેમ ગુમ થઈકોની સાથે લાઠી સુધી પહોંચીતે સમગ્ર બાબતો પર અમરેલી પોલીસે જીણવટભરી તપાસ શરૂ કરી છે.

Read the Next Article

ISRO દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન ટૂંક સમયમાં ગુજરાતમાં બનશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) હવે ગુજરાતને દેશની અવકાશ ટેકનોલોજીમાં મોટી ભૂમિકા આપવા જઈ રહ્યું છે. હા, દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન

New Update
isro

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) હવે ગુજરાતને દેશની અવકાશ ટેકનોલોજીમાં મોટી ભૂમિકા આપવા જઈ રહ્યું છે. હા, દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન ટૂંક સમયમાં ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે.

આ માહિતી ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ના ડિરેક્ટર નિલેશ દેસાઈએ આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તેનો અંદાજિત ખર્ચ 10,000 કરોડ રૂપિયા હશે. નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે આ નવું સ્પેસ સ્ટેશન દીવ અને વેરાવળ વચ્ચે બનાવવામાં આવશે. અહીંથી ISRO તેના PSLV અને SALV રોકેટ લોન્ચ કરશે.

તેનું સ્થાન ખૂબ જ વ્યૂહાત્મક રીતે પસંદ કરવામાં આવ્યું છે કારણ કે ભૂમધ્ય રેખાની નજીક ગુજરાતની સ્થિતિ અવકાશ મિશન માટે મોટો ફાયદો આપે છે.

ગુજરાતની પોતાની 'સ્પેસ મિશન પોલિસી'

જેમ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે સ્પેસ નીતિ લાગુ કરી છે. ગુજરાત સરકારે પણ નવી 'સ્પેસ મિશન પોલિસી' શરૂ કરી છે. તેનો ઉદ્દેશ્ય રાજ્યને સ્પેસ ટેકનોલોજી અને રિસર્ચ ક્ષેત્રે અગ્રેસર બનાવવાનો છે. આ નીતિ ફક્ત ISRO ને જ મદદ કરશે નહીં, પરંતુ યુવાનોને પણ નવી તકો મળશે.

ISRO ના આગામી મોટા લક્ષ્યો

નીલેશ દેસાઈએ જણાવ્યું હતું કે ISRO હવે તેના 70 ટકા મિશન કમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ સિસ્ટમ્સ પર કેન્દ્રિત કરી રહ્યું છે. આ ઉપરાંત ISRO આગામી ત્રણ મોટા પ્રોજેક્ટ્સ ચંદ્રયાન-5 મિશન, ગગનયાન મિશન** (જેમાં માનવોને અવકાશમાં મોકલવામાં આવશે) અને શુક્ર ઓર્બિટર મિશન પર પણ નજર રાખી રહ્યું છે. આ બધાને 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.