-
અમરેલીમાં દલિત યુવકની હત્યાનો મામલો
-
નમકીન લેવા માટે ગયેલા યુવકને માર્યો હતો માર
-
યુવકને કમરના મણકામાં પહોંચી હતી ઇજા
-
સારવાર દરમિયાન યુવકનું નીપજ્યું હતું મોત
-
પોલીસે 11 જેટલા આરોપીઓની કરી ધરપકડ
અમરેલીના બાયપાસ નજીક આવેલી હોટલ પર બબલુ નમકીન લેવા ગયેલા 20 વર્ષીય દલિત યુવક પર કેટલાક શખ્સોએ હુમલો કરી કમરના મણકા ભાંગી નાખ્યા હતા,ઘટના બાદ સારવાર હેઠળ રહેલા યુવાનનું હોસ્પિટલના બિછાને કરુણ મોત નીપજ્યું હતું.સર્જાયેલી આ ઘટનામાં ભારે વિરોધ બાદ પોલીસે 11 શખ્સોની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી.
અમરેલીના બાયપાસ માર્કેટિંગ યાર્ડ નજીક 20 વર્ષીય નિલેશ કાંતિભાઈ રાઠોડ ગત તારીખ 16મી મેના રોજ બબલુ નમકીન લેવા ગયો હતો. ત્યારે અન્ય નાનો બાળક નમકીન પેકેટ તોડી શકતો નહોતો,તેથી નીલેશે બેટા હું તોડી લવ કહેતા બાળકના પિતા સહિત અન્ય શખ્સો બેટા કેમ કહ્યું કહીને તેની પર તૂટી પડ્યા હતા.અને નિલેશ રાઠોડ સહિત ત્રણ શખ્સોને ઢોર માર મારવામાં આવ્યો હતો.જેમાં નિલેશનો કમરનો મણકો તૂટી જતા વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો.જ્યાં 22 તારીખે નિલેશ રાઠોડનું મોત નીપજતા મામલો હત્યામાં પલટાયો હતો.અને દલિત અગ્રણી નેતાઓ અને સંગઠનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો.
આ ચકચારી ઘટનામાં દલિત યુવકને માર મારવાની ઘટનામાં ચોથા ભરવાડ, વિજય ટોટા, ભાવેશ મુંધવા, જતીન મુંધવા સહિત 11 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો હતો.અને પોલીસે જેમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરી હતી.અને વધુ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હોવાનું નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું.