અમરેલી : નમકીન ખરીદવા ગયેલા 20 વર્ષીય દલિત યુવકની હત્યાની ઘટનામાં પોલીસે 11 આરોપીઓની કરી ધરપકડ

અમરેલીના બાયપાસ નજીક આવેલી હોટલ પર બબલુ નમકીન લેવા ગયેલા 20 વર્ષીય દલિત યુવક પર કેટલાક શખ્સોએ હુમલો કરી કમરના મણકા ભાંગી નાખ્યા હતા

New Update
  • અમરેલીમાં દલિત યુવકની હત્યાનો મામલો

  • નમકીન લેવા માટે ગયેલા યુવકને માર્યો હતો માર

  • યુવકને કમરના મણકામાં પહોંચી હતી ઇજા

  • સારવાર દરમિયાન યુવકનું નીપજ્યું હતું મોત

  • પોલીસે 11 જેટલા આરોપીઓની કરી ધરપકડ 

અમરેલીના બાયપાસ નજીક આવેલી હોટલ પર બબલુ નમકીન લેવા ગયેલા 20 વર્ષીય દલિત યુવક પર કેટલાક શખ્સોએ હુમલો કરી કમરના મણકા ભાંગી નાખ્યા હતા,ઘટના બાદ સારવાર હેઠળ રહેલા યુવાનનું હોસ્પિટલના બિછાને કરુણ મોત નીપજ્યું હતું.સર્જાયેલી આ ઘટનામાં ભારે વિરોધ બાદ પોલીસે 11 શખ્સોની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી.

અમરેલીના બાયપાસ  માર્કેટિંગ યાર્ડ નજીક 20 વર્ષીય નિલેશ કાંતિભાઈ રાઠોડ ગત તારીખ 16મી મેના રોજ બબલુ નમકીન લેવા ગયો હતો. ત્યારે અન્ય નાનો બાળક નમકીન પેકેટ તોડી શકતો નહોતો,તેથી નીલેશે બેટા હું તોડી લવ કહેતા બાળકના પિતા સહિત અન્ય શખ્સો બેટા કેમ કહ્યું કહીને તેની પર તૂટી પડ્યા હતા.અને નિલેશ રાઠોડ સહિત ત્રણ શખ્સોને ઢોર માર મારવામાં આવ્યો હતો.જેમાં નિલેશનો કમરનો મણકો તૂટી જતા વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો.જ્યાં 22 તારીખે નિલેશ રાઠોડનું મોત નીપજતા મામલો હત્યામાં પલટાયો હતો.અને દલિત અગ્રણી નેતાઓ અને સંગઠનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો.

આ ચકચારી ઘટનામાં દલિત યુવકને માર મારવાની ઘટનામાં ચોથા ભરવાડવિજય ટોટાભાવેશ મુંધવાજતીન મુંધવા સહિત 11 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો હતો.અને પોલીસે જેમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરી હતી.અને વધુ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હોવાનું નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું.

 

Read the Next Article

સાબરકાંઠા : હિંમતનગર ખાતે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, રેલવેના પડતર કામો વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી

સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી રેલવેના અધિકારીઓને સાંસદે વાકેફ કર્યા

New Update
shobhnaben baraiya

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અસારવા-ઉદેપુર વંદેભારત ટ્રેન જલ્દી શરૂ થાય તેમજ હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈનનું કામ વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી. 

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થઈને રાજસ્થાન સહિત અન્ય રાજયોમાં જતી કેટલીક ટ્રેનો અમદાવાદના અસારવાથી ઉપડી વાયા હિંમતનગર થઈ પસાર થાય છેત્યારે હજુ પણ પ્રજાને જરૂરી ટ્રેન સેવા સહિત અન્ય સગવડો મળી રહી છે તે અધુરી છેત્યારે શુક્રવારે સાબરકાંઠાના સાંસદે હિંમતનગરમાં રેલ્વેના અમદાવાદવડોદારા અને અજમેર ડીવીઝનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં નવી ટ્રેનો શરૂ કરવા ઉપરાંત બંને જિલ્લામાં આવેલા રેલ્વે ઓવરબ્રિજ નીચે ચોમાસામાં ભરાઈ રહેતા પાણીના નિકાલની સમસ્યાથી અધિકારીઓને વાકેફ કરી યોગ્ય કરવાની માંગ કરી હતી.

જેના પ્રત્યુતરમાં રેલ્વેના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, ટૂંક સમયમાં ગમે ત્યારે અસારવાથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત અન્ય નવી ટ્રેન શરૂ થાય તે માટે હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની બાકીની કામગીરી પણ જલ્દી પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી.

હિંમતનગર ખાતે યોજાયેલ રેલ્વે અધિકારીઓે સાથેની બેઠકમાં સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયારમણલાલ વોરાજિલ્લા કલેકટર નારાણયસીંગ સાંદુ સહિત અન્ય અધિકારીઓ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રેલ્વે તંત્ર સાબરકાંઠા-અરવલ્લી અને રાજસ્થાનની પ્રજાને વધુ ટ્રેન સેવા આપવા માટે કટીબધ્ધ છેત્યારે જલ્દીથી અસારવાથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવા માટેની આખરી તૈયારીઓને ઓપ આપી દેવાયો છે.

જે ટૂંક સમયમાં શરૂ થવાની શકયતા છે. આ ઉપરાંત બેઠકમાં ત્રણેય ડીવીઝનના સિવિલ વિભાગના અધિકારીઓ સમક્ષ સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી વાકેફે કરવામાં આવ્યા હતા. જેથી આગામી સમયમાં સાંસદ સાથે યોજાયેલ બેઠકનો અહેવાલ ઉપસ્થિત રહેલા રેલ્વેના અધિકારીઓ સત્વરે ડિવીઝન મેનેજરને સુપ્રત કર્યા બાદ આગળની કાર્યવાહી થશે તેવો દાવો કરાયો હતો.

તો બીજી તરફહિંમતનગરઈડર અને ખેડબ્રહ્મા સહિતના અન્ય રેલ્વે સ્ટેશનો પર ચાલી રહેલી કામગીરી બેઠકમાં રજુ કરાઈ હતી. જે સત્વરે પૂર્ણ કરવા માટે રેલ્વે તંત્ર કટીબધ્ધ છેતેવું કહેવાયું હતું. સાથો સાથ પ્રર્વતમાન સમયમાં હિંમતનગર થઈ દોડી રહેલી ટ્રેનોની સંખ્યાસમય અને સ્ટોપેજ વધારવા માટે પણ બેઠકમાં ઉપસ્થિત લોકોએ રજુઆત કરી હતી.