-
પી.પી.સવાણી ગ્રુપે પાઠવી શ્રદ્ધાંજલિ
-
પ્લેન ક્રેશના મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ
-
મૃતકોના સાથે કર્યું વૃક્ષારોપણ
-
102 વીઘામાં કર્યું વૃક્ષારોપણ
-
10 હજાર વૃક્ષોનું કરાયું વાવેતર
અમરેલી જિલ્લાના ધારી ગીર દુધાળા ખાતે પી.પી.સવાણી ગ્રુપ દ્વારા પ્લેન ક્રેશમાં મોતને ભેટેલા નિર્દોષ હવાઈ યાત્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી,અને મૃતકોના નામથી વૃક્ષોનું વાવેતર કરીને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાથી સૌ કોઈ દુઃખની લાગણી વ્યક્ત કરીને મૃતકોની આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરી રહ્યું છે,ત્યારે અમરેલી જિલ્લાના ધારી ગીર દુધાળા ખાતે પી.પી. સવાણી ગ્રુપ દ્વારા મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
પી.પી.સવાણી ગ્રુપના મહેશ સવાણી, પુત્રવધૂઓ અને બોક્સિંગ પ્લેયર ડિકલ ગોખરા સાહિતના લોકોની ઉપસ્થિતમાં પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.આ પ્રસંગે મૃતકોની યાદમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણી સહિતના મૃતકોના નામ સાથે 102 વીઘામાં 10 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.અને મૃતકોના પરિવારોને સાંત્વના પાઠવી હતી.