અમરેલી : ખાનગી શાળાના શિક્ષકે 12 વર્ષીય વિદ્યાર્થી સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, પોલીસે કરી નરાધમની ધરપકડ...

સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સર્વમંગલમ જી.એમ.બીલખિયા ગુરકુળમાં અભ્યાસ કરતાં 12 વર્ષીય વિદ્યાર્થી સાથે શાળાના પીટી શિક્ષક વિશાલ સાવલીયાએ સૃષ્ટિ વિરુદ્ધનું અધમ કૃત્ય આચર્યું

New Update
  • સાવરકુંડલાના વંડા ગામની ખાનગી પ્રાથમિક શાળાનો મામલો

  • સર્વમંગલમ જી.એમ.બીલખિયા ગુરકુળમાંથી સામે આવ્યો કિસ્સો

  • 12 વર્ષીય વિદ્યાર્થી સાથે પીટી શિક્ષકે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

  • અપકૃત્યને અંજામ આપનાર શિક્ષકની પોલીસે કરી લીધી ધરપકડ

  • અગાઉ પણ નરાધમે અપકૃત્ય કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું

Advertisment

અમરેલી જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં 12 વર્ષીય વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યને અંજામ આપનાર નરાધમ શિક્ષકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સર્વમંગલમ જી.એમ.બીલખિયા ગુરકુળમાં અભ્યાસ કરતાં 12 વર્ષીય વિદ્યાર્થી સાથે શાળાના પીટી શિક્ષક વિશાલ સાવલીયાએ સૃષ્ટિ વિરુદ્ધનું અધમ કૃત્ય આચર્યું હતું.

ગત તા. 7 જાન્યુઆરીના રાત્રિના હોમવર્ક કરતા વિદ્યાર્થીને ચાર્જર લેવાના બહાને રૂમમાં મોકલી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય શિક્ષક વિશાલ સાવલિયાએ આચર્યું હતું જે અંગે વંડા પોલીસ મથકમાં એટ્રોસીટી એક્ટ સાથે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાઈ જતા નરાધમ શિક્ષકને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગે શાળાના આચાર્ય વિલાસ પટેલે પીટી શિક્ષક વિશાલ સાવલીયા સ્પોર્ટસ અને હોસ્ટેલ સંભાળતો હોવાનું સ્વીકાર્યું હતું.

જોકેશિક્ષણ જગતને શરમશાર કરતો કિસ્સો સામે આવતા પોલીસે ત્વરિત આરોપી વિશાલ સાવલીયાની ધરપકડ કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેઅગાઉ પણ નરાધમ શિક્ષક દ્વારા આજ વિદ્યાર્થી સાથે અપકૃત્ય કર્યું હોવાનું અમરેલી પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Advertisment
Read the Next Article

સુરત : મહાનગરપાલિકાને ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગનું સમન્સ, પુણામાં પ્રાથમિક સુવિધાના અભાવ અંગે થઈ હતી રજૂઆત

સુરત શહેરના પુણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા વિકસાવવામાં મહાનગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને લઈ પિટિશન દાખલ કરવામાં આવી હતી

New Update
  • SMCને માનવાધિકાર આયોગનું તેડું 

  • માનવાધિકાર આયોગે પાઠવ્યું છે સમન્સ

  • જાગૃત નાગરિકે કરી હતી પિટિશન દાખલ

  • પુણામાં પ્રાથમિક સુવિધાનો છે અભાવ

  • આયોગમાં કરવામાં આવી હતી રજૂઆત   

Advertisment

સુરત શહેરના પુણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવ હોવાની અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી,જેને પગલે ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગ દ્વારા મહાનગરપાલિકાને સમન્સ પાઠવતા અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે.

સુરત શહેરના પુણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા વિકસાવવામાં મહાનગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી,જેમાં સ્થાનિક જાગૃત નાગરિક કુલદીપ ગોહિલ દ્વારા 21 માર્ચના રોજ ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.જે અંગે ગુજરાત રાજ્ય માનવાધિકાર આયોગ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને સમન્સ પાઠવવામાં આવ્યું છે,અને 26 જૂનના રોજ બપોરના 1 કલાકે આયોગની કોર્ટ સમક્ષ હાજર થવા અંગે જણાવવામાં આવ્યું છે.માનવાધિકાર આયોગના સમન્સને પગલે મનપા અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે.  

જાગૃત નાગરિક કુલદીપ ગોહિલ દ્વારા કરવામાં આવેલી પિટિશનમાં મહાનગરપાલિકાના તંત્ર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે વર્ષ 2006થી મનપામાં સામેલ પૂણામાં આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાનો અભાવ રહ્યો છે.આ વિસ્તારમાં શાંતિ કુંજશૌચાલય અને વાંચનાલય સહિતની સુવિધાનો અભાવ હોવાની રજૂઆત તેઓએ કરી હતી.આ ઉપરાંત

પુણાગામ ટીપી 20 પ્રિલીમ થઈ ગયા બાદ પણ પાર્કિંગની જગ્યા પર ખાણી પીણીની લારીઓપાનના ગલ્લાફૂડ પ્લાઝા મોડી રાત સુધી ચાલુ રહેતા હોવાની ફરિયાદ કરી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે SITની રચના, 3 અધિકારીઓ સહિત 11 પોલીસકર્મીઓ કરશે તપાસ

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સીટની રચના કરવામાં આવી છે

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • કૌભાંડની તપાસ માટે મોટો નિર્ણય

  • સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના

  • 11 પોલીસકર્મીઓ કૌભાંડની કરશે તપાસ

  • DYSP ડો.અનિલ સિસારાને સીટની કમાન

Advertisment
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સીટની રચના કરવામાં આવી છે

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરવામાં આવી છે. સીટની કમાન ડી.વાય.એસ.પી.ડો. અનિલ સિસારાને આપવામાં આવી છે.. જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર,એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 11 પોલીસકર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીટની ટીમ તપાસ કરી ચાર્જશીટ ફાઇલ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડનું મનરેગા કૌભાંડ આચારાયું હોવાની આશંકા છે અને આ મામલે વેરાવળની બે એજન્સીઓ સામે ગુનો નોંધાયો છે ત્યારે પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા જંબુસર આમોદ અને હાંસોટ તાલુકાના જે ગામોમાં કૌભાંડ આચરાયુ છે ત્યાં પંચકેસ સહિતની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. હવે આગળ નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

Advertisment
Latest Stories