અમરેલી : ખાનગી શાળાના શિક્ષકે 12 વર્ષીય વિદ્યાર્થી સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, પોલીસે કરી નરાધમની ધરપકડ...

સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સર્વમંગલમ જી.એમ.બીલખિયા ગુરકુળમાં અભ્યાસ કરતાં 12 વર્ષીય વિદ્યાર્થી સાથે શાળાના પીટી શિક્ષક વિશાલ સાવલીયાએ સૃષ્ટિ વિરુદ્ધનું અધમ કૃત્ય આચર્યું

New Update
  • સાવરકુંડલાના વંડા ગામની ખાનગી પ્રાથમિક શાળાનો મામલો

  • સર્વમંગલમ જી.એમ.બીલખિયા ગુરકુળમાંથી સામે આવ્યો કિસ્સો

  • 12 વર્ષીય વિદ્યાર્થી સાથે પીટી શિક્ષકે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

  • અપકૃત્યને અંજામ આપનાર શિક્ષકની પોલીસે કરી લીધી ધરપકડ

  • અગાઉ પણ નરાધમે અપકૃત્ય કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું

અમરેલી જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં 12 વર્ષીય વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યને અંજામ આપનાર નરાધમ શિક્ષકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સર્વમંગલમ જી.એમ.બીલખિયા ગુરકુળમાં અભ્યાસ કરતાં 12 વર્ષીય વિદ્યાર્થી સાથે શાળાના પીટી શિક્ષક વિશાલ સાવલીયાએ સૃષ્ટિ વિરુદ્ધનું અધમ કૃત્ય આચર્યું હતું.

ગત તા. 7 જાન્યુઆરીના રાત્રિના હોમવર્ક કરતા વિદ્યાર્થીને ચાર્જર લેવાના બહાને રૂમમાં મોકલી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય શિક્ષક વિશાલ સાવલિયાએ આચર્યું હતું જે અંગે વંડા પોલીસ મથકમાં એટ્રોસીટી એક્ટ સાથે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાઈ જતા નરાધમ શિક્ષકને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગે શાળાના આચાર્ય વિલાસ પટેલે પીટી શિક્ષક વિશાલ સાવલીયા સ્પોર્ટસ અને હોસ્ટેલ સંભાળતો હોવાનું સ્વીકાર્યું હતું.

જોકેશિક્ષણ જગતને શરમશાર કરતો કિસ્સો સામે આવતા પોલીસે ત્વરિત આરોપી વિશાલ સાવલીયાની ધરપકડ કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેઅગાઉ પણ નરાધમ શિક્ષક દ્વારા આજ વિદ્યાર્થી સાથે અપકૃત્ય કર્યું હોવાનું અમરેલી પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Read the Next Article

ચૈતર વસાવાના કેસમાં પોલીસ એફિડેવિટ રજૂ કરવામાં નિષ્ફળ રહેતા જામીનની સુનાવણી ટળી

'લાફા કાંડ' સંબંધિત કેસમાં રાજપીપળા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી માટે સુનાવણી હતી,પરંતુ પોલીસ દ્વારા એફિડેવિટ રજુ કરવામાં વિલંબ થતા સુનાવણી ટળી

New Update
Chaitar Vasava Bail Hearing

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને'લાફા કાંડસંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.રાજપીપળા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી માટે સુનાવણી હતી,પરંતુ પોલીસ દ્વારા એફિડેવિટ રજુ કરવામાં વિલંબ થતા સુનાવણી ટળી હતી. 

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા વસાવાની જામીન અરજી પર આજે રાજપીપળાની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતીપરંતુ દેડિયાપાડા પોલીસ એફિડેવિટ એટલે કે સોગંદનામું રજૂ કરવામાં નિષ્ફળ રહેતા સુનાવણી તારીખ 11 જુલાઈ 2025 પર મુલતવી રાખવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસારજ્યાં સુધી પોલીસ તેમની એફિડેવિટ રજૂ નહીં કરે ત્યાં સુધી ચૈતર વસાવાને જામીન મળવા મુશ્કેલ છે. પોલીસ દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યા બાદ જ કોર્ટ દ્વારા જામીન અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.