/connect-gujarat/media/post_banners/6de41516f364d3f26602d80a2a43f4a71dbdd2bb6cd66502b8c311ce18fd3974.jpg)
ઉજ્જૈનના માકડોન વિસ્તારમાં ગુરુવારે સવારે બે પક્ષ સામસામે આવી ગયા. આ વિવાદમાં સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિ ઉખાડી અને તેની તોડફોડ કરવાના મામલે થયો હતો. એક પક્ષનાં લોકોએ ટ્રેક્ટર દ્વારા મૂર્તિને નીચે પાડી દીધી. પછી લાકડી અને પથ્થર મારીને મૂર્તિની તોડફોડ કરી હતી આ મામલામાં પથ્થરમારો પણ થયો હતો.આ મામલાના પડઘા અમરેલી જીલ્લામાં પડ્યા હતા. છોટે સરદારના નામથી જાણીતા ગોપાલ વસ્તપરા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.ગોપાલ વસ્તપરા સાથે ધારાસભ્ય જનક તળાવીયા અને પાટીદાર સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા અને જવાબદારોસામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી