અમરેલી : મૃતક દલિત યુવકના પરીજનો સાથે શક્તિસિંહ ગોહિલની મુલાકાત, સાંત્વના આપી હત્યાની ઘટનાને વખોડી કાઢી

અમરેલીમાં દલિત યુવકની હત્યા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ મૃતક નિલેશ રાઠોડના પરીવારજનોને સાંત્વના આપવા પહોચ્યા હતા,

New Update
  • અમરેલીમાં દલિત યુવકની હત્યાથી મચી ચકચાર

  • દુકાનદારે 15 લોકો સાથે મળીને કરી યુવકની હત્યા

  • ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જરખીયા પહોચ્યા

  • શક્તિસિંહ ગોહિલે મૃતકના પરીજનોને સાંત્વના આપી

  • હત્યાની ઘટનાને શક્તિસિંહ ગોહિલે વખોડી કાઢી

અમરેલીમાં દલિત યુવકની હત્યા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ મૃતક નિલેશ રાઠોડના પરીવારજનોને સાંત્વના આપવા પહોચ્યા હતાજ્યાં તેઓએ પરિવારના દુઃખમાં સહભાગી થઈ હત્યાની ઘટનાને વખોડી કાઢી હતી.

ગત 16 મે-2025ના રોજ અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલી એક દુકાન પર વેફરનું પેકેટ ખરીદવા પહોંચેલા યુવાન નીલેશભાઈ રાઠોડે દુકાનદારના દીકરાને 'બેટાકહેતાં ગુસ્સે ભરાયેલા પિતાએ 10-15 અન્ય આરોપીઓ સાથે મળીને નીલેશ રાઠોડને ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. જે બાદ ગત 22 તારીખે નીલેશ રાઠોડનું ભાવનગરની સર ટી. હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. કથિતપણે થયેલી એક માથાકૂટ એટલી વધી ગઈ હતી કેતેમાં દુકાનદાર સહિતના કેટલાક લોકોએ એક દલિત યુવાનનું મૃત્યુ નિપજાવી નાખ્યું હતુંત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ મૃતક નિલેશ રાઠોડના પરીજનોને સાંત્વના આપવા જરખીયા પહોચ્યા હતા.

પરિવારે પોતાના 20 વર્ષીય દીકરાને ગુમાવ્યો છેત્યારે પરિવારના દુઃખમાં સહભાગી થઈ તેઓએ આ ઘટનાને વખોડી કાઢી હતી. કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી મુદ્દે પણ શક્તિસિંહ ગોહિલએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કેતેઓ અમારા કાર્યકારી અધ્યક્ષ છેકોંગ્રેસના ધારાસભ્ય પણ છેઅને અમારી ટીમનો એક ભાગ છે. કોંગ્રેસ પક્ષે એ જ રીતે કામ કર્યું છેઅને આગામી દિવસોમાં પણ એ જ રીતે કામ કરશે તેવું પણ લોકો વચ્ચેથી શક્તિસિંહ ગોહિલએ નિવેદન આપ્યું હતું.

 

Read the Next Article

ભરૂચ: વાલિયાથી વાડીને જોડતા મુખ્યમાર્ગ પર વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહારને અસર

ભરૂચના વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

New Update
sdhgifg

ભરૂચના વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

છેલ્લા 4 દિવસથી ભરૂચના વાલિયા તાલુકામાં અવિરત વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થવાનો ઘટનાઓ સામે આવી છે ત્યારે વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થયું છે.જેને પગલે વાહન વ્યવહારને અસર થઈ છે.વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગતરોજ સાંજે વાલિયા પોલીસને જાણ થતાં સ્ટાફ દ્વારા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમરના માર્ગ દર્શન હેઠળ વૃક્ષને માર્ગની બાજુમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.