અમરેલી: ચીતલમાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, જમાઈએ જ કરી હતી સાસુની હત્યા

અમરેલી જિલ્લાના ચીતલના જશવંતગઢમાં 28મી નવેમ્બરે એક વૃદ્ધાની ઘાતકી હત્યા થઈ હતી. નાયબ મામલતદારના માતાની હત્યાથી પોલીસ દોડતી થઈ હતી.

New Update
  • વૃદ્ધ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો

  • નાયબ મામલતદારના માતાની થઇ હતી હત્યા 

  • ખુદ જમાઈએ જ કરી હતી સાસુની હત્યા

  • લગ્ન જીવનમાં બાધારૂપ બનતા સાસુની કરી હત્યા

  • પોલીસે હત્યારા જમાઈની કરી ધરપકડ

અમરેલી જિલ્લાના ચીતલના જશવંતગઢમાં 28મી નવેમ્બરે એક વૃદ્ધાની ઘાતકી હત્યા થઈ હતી. નાયબ મામલતદારના માતાની હત્યાથી પોલીસ દોડતી થઈ હતી. આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે,ખુદ તેમના જમાઈએ જ વૃદ્ધ સાસુની હત્યા કરી હતી.પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરી છે.

અમરેલી જિલ્લાના ચીતલના જશવંત ગઢમાં નાયબ મામલતદાર રાજુ તેરૈયાના માતા પ્રભાબેન 28મી નવેમ્બરે ઘરે એકલા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેમને અત્યંત ક્રૂરતાપૂર્વક રહેંસી નાખ્યા હતા.આ ઘટના એ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો હતો અને હત્યારાને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા એક ઓપરેશન ચલાવ્યું હતું.

આખરે એક અઠવાડિયા સુધી ચાલેલી પોલીસ તપાસના અંતે પોલીસને હત્યારાની કડી મળી હતી,પોલીસે મૃતક પ્રભાબેનના હત્યારા નયન જોષીને ઝડપી લીધો. નયન જોષી જાંબુડા ગામનો રહેવાસી છે અને મૃતક વૃદ્ધાનો જમાઈ છે.આરોપીએ પોલીસને જણાવ્યું હતું કેમારા 11 વર્ષના લગ્ન જીવન દરમિયાન મારી પત્ની અનેક વખત પિયર ચાલી જતી હતી.મારૂ લગ્ન જીવન ડિસ્ટર્બ થતું હતુંતેની પાછળ સાસુ જવાબદાર હતા.

ઉલ્લેખનીય છે કે હત્યારા જમાઈએ ઠંડા કલેજે સાસુની હત્યા કરી હતીઅને જાણે કંઈ જ બન્યું ના હોય તેમ વર્તન કરતો હતો.સાથે જ તે સાસુની અંતિમવિધિમાં પણ જોડાયો હતો.

 

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.