-
વૃદ્ધ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો
-
નાયબ મામલતદારના માતાની થઇ હતી હત્યા
-
ખુદ જમાઈએ જ કરી હતી સાસુની હત્યા
-
લગ્ન જીવનમાં બાધારૂપ બનતા સાસુની કરી હત્યા
-
પોલીસે હત્યારા જમાઈની કરી ધરપકડ
અમરેલી જિલ્લાના ચીતલના જશવંતગઢમાં 28મી નવેમ્બરે એક વૃદ્ધાની ઘાતકી હત્યા થઈ હતી. નાયબ મામલતદારના માતાની હત્યાથી પોલીસ દોડતી થઈ હતી. આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે,ખુદ તેમના જમાઈએ જ વૃદ્ધ સાસુની હત્યા કરી હતી.પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરી છે.
અમરેલી જિલ્લાના ચીતલના જશવંત ગઢમાં નાયબ મામલતદાર રાજુ તેરૈયાના માતા પ્રભાબેન 28મી નવેમ્બરે ઘરે એકલા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેમને અત્યંત ક્રૂરતાપૂર્વક રહેંસી નાખ્યા હતા.આ ઘટના એ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો હતો અને હત્યારાને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા એક ઓપરેશન ચલાવ્યું હતું.
આખરે એક અઠવાડિયા સુધી ચાલેલી પોલીસ તપાસના અંતે પોલીસને હત્યારાની કડી મળી હતી,પોલીસે મૃતક પ્રભાબેનના હત્યારા નયન જોષીને ઝડપી લીધો. નયન જોષી જાંબુડા ગામનો રહેવાસી છે અને મૃતક વૃદ્ધાનો જમાઈ છે.આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, મારા 11 વર્ષના લગ્ન જીવન દરમિયાન મારી પત્ની અનેક વખત પિયર ચાલી જતી હતી.મારૂ લગ્ન જીવન ડિસ્ટર્બ થતું હતું, તેની પાછળ સાસુ જવાબદાર હતા.
ઉલ્લેખનીય છે કે હત્યારા જમાઈએ ઠંડા કલેજે સાસુની હત્યા કરી હતી, અને જાણે કંઈ જ બન્યું ના હોય તેમ વર્તન કરતો હતો.સાથે જ તે સાસુની અંતિમવિધિમાં પણ જોડાયો હતો.