અમરેલી : યુવતીનું અપહરણ કરનાર વિધર્મી યુવકની રાજુલા પોલીસે કરી ધરપકડ...

New Update
અમરેલી : યુવતીનું અપહરણ કરનાર વિધર્મી યુવકની રાજુલા પોલીસે કરી ધરપકડ...

રાજુલામાંથી એક યુવતીના અપહરણનો મામલો

યુવતીનું રિક્ષામાં અપહરણ કરી વિધર્મી યુવક ફરાર

વિધર્મી યુવકને પકડવા માટે 6 ટીમો તૈનાત કરી

ગણતરીના કલાકોમાં જ વિધર્મી યુવકની ધરપકડ

યુવતીનું કાઉન્સિલ કરી તેના પરિજનોને સોંપાય

અમરેલી જિલ્લાના રાજુલાના ધોળીયા ડુંગર વિસ્તારમાંથી ગતરોજ વિધર્મી યુવક દ્વારા એક યુવતીને રિક્ષામાં અપહરણ કરીને લઈ જવાને મામલે રાજુલાવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. રાજુલા પોલીસ મથકે રાત્રિના ટોળાઓ એકઠા થયા હતા, જ્યાં પોલીસે વિધર્મી યુવકને પકડવા માટે 6 ટીમો તૈનાત કરી યુવતીને ક્યાં લઇ ગયો તે અંગે જીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી, જ્યારે ટોળાને ખોટી અફવાઓમાં ન આવવા પોલીસ તંત્રએ અપીલ પણ કરી હતી.

જોકે, ગત મોડી રાત્રે જ પોલીસે 90 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેના આધારે બાબરા ખાતેથી પોલીસે વિધર્મી સમીર નામના યુવકની અટકાયત કરી હતી. જે બાદ યુવતીને કાઉન્સિલ કરીને તેમના પરિજનોને સોંપવામાં આવી હતી, જ્યારે વિધર્મી યુવકને રાજુલા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. આ સાથે જ લવ જેહાદ જેવો મુદ્દો વધુ ગુંજે અને કોમી એખલાસમાં ખલેલ ન પડે તે માટે પોલીસે એલસીબી અને એસઓજી સહિતની 6 ટીમો કામે લગાડીને વિધર્મી યુવક સમીરને રાજુલા પોલીસ મથકે અટકાયત કરી હોવાની વિગતો પોલીસે આપી હતી.

Latest Stories
Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.

Latest Stories