અમરેલી : પરષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ...

અમરેલી જિલ્લાની માર્કેટિંગ યાર્ડ ખાતેથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા તેમજ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાનીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

New Update
  • માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ

  • પૂર્વ કેન્દ્રીય મંત્રી-સાંસદ પરષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત

  • ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની પણ આગેવાની રહી

  • ખેડૂતોને દોઢા ભાવો મળે તે અંગે રાજ્ય સરકાર કટિબદ્ધ

  • મગફળીનો સારો ભાવ મળતા ખેડૂતોમાં હરખની હેલી 

અમરેલી જિલ્લાની માર્કેટિંગ યાર્ડ ખાતેથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા તેમજ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાનીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છેત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીઅમરેલીના સાંસદ ભરત સુતરીયાવિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાપૂર્વ સાંસદ નારણ કાછડીયા સહિતના રાજકીય નેતાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. યાર્ડની જાહેર હરરાજીમાં ખેડૂતોને 900થી 1100 જેવા ભાવો મળતા હોય છેજ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોને 1356 જેવા ભાવો મળતા ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે.

જોકેપાછોતરા વરસાદથી ખેતી-પાકોને નુકશાન થયું હોયત્યારે મગફળીના ભાવો પણ પૂરતા મળતા નથીજ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે 1356 જેવા ભાવ મળતા હોય જે આશીર્વાદ સમાન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનતા પહેલા અમરેલીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે ટેકાના ભાવે પાકની ખરીદી શરૂ કરાવાના ધ્યેયને સાર્થક સાબિત કર્યો છેત્યારે સહકારી નેતા દિલીપ સંઘાણીએ ખેડૂતોને દોઢા ભાવો મળે તે અંગે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

 

Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.