અમરેલી : પરષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ...

અમરેલી જિલ્લાની માર્કેટિંગ યાર્ડ ખાતેથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા તેમજ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાનીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

New Update
  • માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ

  • પૂર્વ કેન્દ્રીય મંત્રી-સાંસદ પરષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત

  • ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની પણ આગેવાની રહી

  • ખેડૂતોને દોઢા ભાવો મળે તે અંગે રાજ્ય સરકાર કટિબદ્ધ

  • મગફળીનો સારો ભાવ મળતા ખેડૂતોમાં હરખની હેલી 

Advertisment

અમરેલી જિલ્લાની માર્કેટિંગ યાર્ડ ખાતેથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા તેમજ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાનીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છેત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીઅમરેલીના સાંસદ ભરત સુતરીયાવિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાપૂર્વ સાંસદ નારણ કાછડીયા સહિતના રાજકીય નેતાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. યાર્ડની જાહેર હરરાજીમાં ખેડૂતોને 900થી 1100 જેવા ભાવો મળતા હોય છેજ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોને 1356 જેવા ભાવો મળતા ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે.

જોકેપાછોતરા વરસાદથી ખેતી-પાકોને નુકશાન થયું હોયત્યારે મગફળીના ભાવો પણ પૂરતા મળતા નથીજ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે 1356 જેવા ભાવ મળતા હોય જે આશીર્વાદ સમાન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનતા પહેલા અમરેલીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે ટેકાના ભાવે પાકની ખરીદી શરૂ કરાવાના ધ્યેયને સાર્થક સાબિત કર્યો છેત્યારે સહકારી નેતા દિલીપ સંઘાણીએ ખેડૂતોને દોઢા ભાવો મળે તે અંગે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

 

Advertisment
Read the Next Article

“અંધારી તેરસ” : કચ્છ-વાગડ પ્રાંથળીયા આહિર સમાજમાં લગ્નની અનોખી પરંપરા, વેરાવળના આજેઠા ગામે રજવાડી ઠાઠ સાથેના વિવાહ

અંધારી તેરસના દિવસે કચ્છના પ્રંથળિયા આહિર સમાજમાં પરંપરાગત રીતે લગ્ન યોજવાની અનોખી પરંપરા છે. જે મુજબ આ વર્ષે વાગડના 1160 જેટલા નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા

New Update
  • વાગડમાં પ્રાંથળીયા આહીર સમાજમાં અનોખી પરંપરા

  • મહાભારત યુગથી ચાલી આવતી અંધારી તેરસની પરંપરા

  • એક જ દિવસે મોટાપાયે લગ્નો યોજવાની વર્ષો જૂની પરંપરા

  • કચ્છ-વાગડના 1160 નવયુગલો લગ્નના બંધનમાં જોડાયા

  • વેરાવળના આજેઠા ગામમાં પણ રજવાડી ઠાઠ સાથેના વિવાહ 

Advertisment

અંધારી તેરસના દિવસે કચ્છના પ્રંથળિયા આહિર સમાજમાં પરંપરાગત રીતે લગ્ન યોજવાની અનોખી પરંપરા છે. જે મુજબ આ વર્ષે વાગડના 1160 જેટલા નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. તો બીજી તરફગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આજેઠા ગામમાં આહીર સોલંકી પરિવારના વિવાહપ્રસંગે અનોખું ફુલેકું યોજાયું હતું. જેમાં હાથીની અંબાળી પર બેસી વરરાજાનો રજવાડી ઠાઠ લોકો જોતાં રહી ગયા હતા.

આજરોજ વૈશાખ વદ તેરસ એટલે અંધારી તેરસ. આ દિવસ કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં વસવાટ કરી પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા તમામ સમાજના લોકો સાથે ભાઈચારો ધરાવતા આહિર સમાજ માટે મહત્વનો દિવસ છે. પ્રાંથળીયા આહિર સમાજમાં અંધારી તેરસના દિવસે લગ્ન યોજવાની અનોખી પરંપરા છેઅને આ પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ વાગડ વિસ્તારમાં પ્રાંથળિયા આહિર સમાજના 1160 નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા.

રીતિ મુજબ વર્ષમાં ફક્ત એક જ દિવસ-અંધારી તેરસે જ લગ્નના મુહૂર્ત માન્ય રહે છે. આ વર્ષે તા. ૨૫ મે ૨૦૨૫ ના રવિવારના રોજ આહીર સમાજના ગામોમાં 1160 યુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા. આ દિવસે સમગ્ર કચ્છ વાગડના આહીર સમાજમાં ખુશીની લહેર જોવા મળે છે. દરેક ગામમાં ભાતીગળ પહેરવેશમાં લોકો આ પ્રસંગને ઉજવે છે. ઢોલ-નગારા વાગે છેહરખભેર સમૂહ ભોજન યોજાય છેઅને અન્નનો બગાડ ન થાય તે બાબત પણ ખાસ ધ્યાનમાં લેવાય છે. આ પ્રસંગે કચ્છ આહીર સમાજના પ્રમુખ તથા દરેક ગામના આગેવાનોએ લગ્નબંધનમાં જોડાયેલ તમામ નવયુગલોને શુભકામનાઓ પાઠવી હતી.

તો બીજી તરફગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનું આજેઠા ગામ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જેમાં આહીર સોલંકી પરિવારમાં રજવાડી ઠાઠ સાથેનો વિવાહ પ્રસંગ યોજાયો હતો. આજેઠા ગામમાં પ્રથમવાર હાથીની અંબાળી પર બેસી વરરાજાનું ફૂલેકુ યોજાયું હતું. આહીર યુવા અગ્રણી નથુભાઈ સોલંકીને ત્યાં વિવાહ પ્રસંગમાં વરરાજા મયુર સોલંકીના ફુલેકામાં આકર્ષક અશ્વો પર પરિવારના મોભી પણ જોડાયા હતા.

લગ્નગીતની રમઝટ સાથે ફૂલેકુ ફરતા આજેઠા તેમજ આજુબાજુના ગામના લોકો પણ ફૂલેકુ જોવા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોની સાથે મોટી સંખ્યામાં મહેમાનોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. લોકોએ ગજરાજ અને અશ્વો સાથેના રજવાડી ઠાઠમાઠવાળા ફુલેકાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.

Advertisment