અમરેલી : મુસ્લિમ પરિવાર દ્વારા નિર્માણ કરાયેલ રામજી મંદિરે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ શીશ ઝુકાવ્યું...

અમરેલી જિલ્લાના ધારી-ગીરના ઝર ગામે રહેતા મુસ્લિમ પરિવારમાં ભગવાન રામજી પ્રત્યેની આસ્થા જોવા મળી છે.

New Update
અમરેલી : મુસ્લિમ પરિવાર દ્વારા નિર્માણ કરાયેલ રામજી મંદિરે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ શીશ ઝુકાવ્યું...

અમરેલી જિલ્લાના ધારી-ગીરના ઝર ગામે રહેતા મુસ્લિમ પરિવારમાં ભગવાન રામજી પ્રત્યેની આસ્થા જોવા મળી છે. ઘર આંગણામાં જર્જરીત થયેલ રામજી મંદિરનું પુનઃ નિર્માણ કરી આ પરિવાર દ્વારા પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવી હતી, ત્યારે આજરોજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રામજી મંદિરે શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

હાલના સમયમાં રાજકારણના કારણે હિન્દુ-મુસ્લિમો વચ્ચે ભેદ રેખાઓ સર્જાય હોય પણ હજુ પણ કોમી એકતા અને માનવતાની મિસાલ ગામડાઓમાં કાયમ રહી છે, ત્યારે ગુજરાતનું એક એવું સ્થળ કે, જ્યાં રામલલ્લાના મંદિર માટે જમીનથી લઈને નવા મંદિરમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા એક મુસ્લિમ પરિવારે કરી છે. અમરેલી જિલ્લાના ધારી-ગીરના ઝર ગામમાં કોમી એકતાની કોઈ મિસાલ હોય તો એ છે આ રામજી મંદિર. ઝર ગામમાં સતાધારના સંત આપા ગીગાના વારસદારો રહે છે, જ્યાં લલિયા પરિવાર આમ તો મુસ્લિમ ધર્મ પાળે છે. પણ આપા ગીગાના કારણે હિન્દુ ધર્મ પ્રત્યે આ પરિવારમાં આસ્થા અને ઉર્મિઓ હજુ અકબંધ જોવા મળે છે. લલિયા પરિવારના મોભી ગણાતા દાઉદભાઈ લલિયા અને તેમના સહકુટુંબ દ્વારા પોતાના આંગણામાં વર્ષો જૂના રામજી મંદિર કે, જે તાઉતે વાવાઝોડામાં સાવ જર્જરીત થઈ જતા તે મંદિરને વિશાળ મંદિરમાં સ્થાપી સંતો મહંતો અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતીમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એક મુસ્લિમ પરિવારે ભગવાન રામજીનું મંદિર સ્થાપ્યું છે. જેમાં લલિયા પરિવાર દ્વારા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થતાં સૌ કોઈ ખૂબ હર્ષિત થઈ ગયા હતા, ત્યારે આજરોજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઝર ગામની મુલાકાતે પહોચ્યા હતા, જ્યાં મુસ્લિમ પરિવાર દ્વારા સ્થાપિત રામજી મંદિરે દર્શન કરી કેન્દ્રીય મંત્રીએ ધન્યતા અનુભવી હતી. કેન્દ્રીય મંત્રીએ ભગવાન સમક્ષ શંખ વગાડ્યો હતો. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાથે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ રમલલ્લા મંદિરે દર્શન કર્યા હતા. જોકે, મુસ્લિમ પરીવાર દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી દેશની સંસ્કૃતિ ઉજાગર થઈ હોવાનું પણ કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતું.

Read the Next Article

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું, બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા

New Update
વરસાદ ખબક્યો

ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે.

જેમાં પાકિસ્તાનની પાસે  સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે.  નોંધનિય છે કે, આવતી કાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને  સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને બંને ઝોનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારિ વરસાદનું અનુમાન છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

આગામી 6 દિવસ ઉત્તર ગુજરાત, મઘ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં  ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં આજે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. , પાટણ મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અમદાવાદમાં ભારે નહિ પરંતુ મધ્યમ વરસાદનું અનુમાન છે. અરવલ્લી મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે. ખેડા,પંચમહાલ, આણંદ,  વડોદરા, ભરૂચ, છોટાઉદેપરુ, નર્મદા આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ટૂંકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.