અમરેલી : મુસ્લિમ પરિવાર દ્વારા નિર્માણ કરાયેલ રામજી મંદિરે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ શીશ ઝુકાવ્યું...

અમરેલી જિલ્લાના ધારી-ગીરના ઝર ગામે રહેતા મુસ્લિમ પરિવારમાં ભગવાન રામજી પ્રત્યેની આસ્થા જોવા મળી છે.

New Update
અમરેલી : મુસ્લિમ પરિવાર દ્વારા નિર્માણ કરાયેલ રામજી મંદિરે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ શીશ ઝુકાવ્યું...

અમરેલી જિલ્લાના ધારી-ગીરના ઝર ગામે રહેતા મુસ્લિમ પરિવારમાં ભગવાન રામજી પ્રત્યેની આસ્થા જોવા મળી છે. ઘર આંગણામાં જર્જરીત થયેલ રામજી મંદિરનું પુનઃ નિર્માણ કરી આ પરિવાર દ્વારા પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવી હતી, ત્યારે આજરોજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રામજી મંદિરે શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

હાલના સમયમાં રાજકારણના કારણે હિન્દુ-મુસ્લિમો વચ્ચે ભેદ રેખાઓ સર્જાય હોય પણ હજુ પણ કોમી એકતા અને માનવતાની મિસાલ ગામડાઓમાં કાયમ રહી છે, ત્યારે ગુજરાતનું એક એવું સ્થળ કે, જ્યાં રામલલ્લાના મંદિર માટે જમીનથી લઈને નવા મંદિરમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા એક મુસ્લિમ પરિવારે કરી છે. અમરેલી જિલ્લાના ધારી-ગીરના ઝર ગામમાં કોમી એકતાની કોઈ મિસાલ હોય તો એ છે આ રામજી મંદિર. ઝર ગામમાં સતાધારના સંત આપા ગીગાના વારસદારો રહે છે, જ્યાં લલિયા પરિવાર આમ તો મુસ્લિમ ધર્મ પાળે છે. પણ આપા ગીગાના કારણે હિન્દુ ધર્મ પ્રત્યે આ પરિવારમાં આસ્થા અને ઉર્મિઓ હજુ અકબંધ જોવા મળે છે. લલિયા પરિવારના મોભી ગણાતા દાઉદભાઈ લલિયા અને તેમના સહકુટુંબ દ્વારા પોતાના આંગણામાં વર્ષો જૂના રામજી મંદિર કે, જે તાઉતે વાવાઝોડામાં સાવ જર્જરીત થઈ જતા તે મંદિરને વિશાળ મંદિરમાં સ્થાપી સંતો મહંતો અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતીમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એક મુસ્લિમ પરિવારે ભગવાન રામજીનું મંદિર સ્થાપ્યું છે. જેમાં લલિયા પરિવાર દ્વારા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થતાં સૌ કોઈ ખૂબ હર્ષિત થઈ ગયા હતા, ત્યારે આજરોજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઝર ગામની મુલાકાતે પહોચ્યા હતા, જ્યાં મુસ્લિમ પરિવાર દ્વારા સ્થાપિત રામજી મંદિરે દર્શન કરી કેન્દ્રીય મંત્રીએ ધન્યતા અનુભવી હતી. કેન્દ્રીય મંત્રીએ ભગવાન સમક્ષ શંખ વગાડ્યો હતો. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાથે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ રમલલ્લા મંદિરે દર્શન કર્યા હતા. જોકે, મુસ્લિમ પરીવાર દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી દેશની સંસ્કૃતિ ઉજાગર થઈ હોવાનું પણ કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતું.

Read the Next Article

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના, ટાટા ગ્રુપ બાદ હવે AIR INDIAએ પણ સહાય આપવાની કરી જાહેરાત

અમદાવાદમાં જૂન 12 ના રોજ થયેલી દુ:ખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપ દ્વારા વળતરની જાહેરાત કરાયા બાદ હવે AIR INDIA એ પણ સહાય આપવાની જાહેરાત કરી છે.

New Update
Air India Pilot

અમદાવાદમાં જૂન 12 ના રોજ થયેલી દુ:ખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપ દ્વારા વળતરની જાહેરાત કરાયા બાદ હવે AIR INDIA એ પણ સહાય આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો અને ઘાયલોને ₹25 લાખ (અંદાજે 21,000 GBP) ની વચગાળાની રકમ આપવામાં આવશે.

અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ  થયેલા આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોના દુર્ખદ અવસાન થયા હતા. આ વિમાન એક હોસ્પિટલના હોસ્ટેલ  પર પડ્યું હતું, જેના કારણે ત્યાં રહેતા ઘણા લોકો મૃત્યુ પામ્યા અને ઘણા ઘાયલ થયા.

AIR INDIA એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વળતરની જાહેરાત કરતા જણાવ્યું કે, "તાજેતરના અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો સાથે એર ઇન્ડિયા એકતામાં ઉભી છે. આ અવિશ્વસનીય મુશ્કેલ સમયમાં સંભાળ અને સહાય પૂરી પાડવા માટે અમારી ટીમો તમામ પ્રયાસો કરી રહી છે."

AIR INDIA એ તેની પોસ્ટમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "અમારા સતત પ્રયાસોના ભાગ રૂપે, એર ઇન્ડિયા (Air India) તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૃતકો અને બચી ગયેલા લોકોના પરિવારોને ₹25 લાખ અથવા આશરે 21,000 GBP ની વચગાળાની ચુકવણી (Interim Payment) કરશે."

મહત્વપૂર્ણ છે કે, આ સહાય ટાટા સન્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલ ₹1 કરોડ અથવા આશરે 85,000 GBP સહાય ઉપરાંત છે. AIR INDIA એ વધુમાં જણાવ્યું કે આ અકસ્માત પછી થયેલા નુકસાનથી તેઓ બધા દુઃખી છે.

ટાટા ગ્રુપે આ દુર્ઘટના અંગે અગાઉ જ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, "આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ટાટા ગ્રુપ  ₹1 કરોડનું વળતર આપશે. અમે ઘાયલોના તબીબી ખર્ચનો પણ ભોગ લઈશું અને ખાતરી કરીશું કે તેમને જરૂરી તમામ સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બી.જે. મેડિકલ ના હોસ્ટેલના  નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છીએ."



 

Latest Stories