નર્મદામાં મોબાઈલ સીમકાર્ડના ખરીદ વેચાણ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.કે.ઉંધાડ દ્વારા જાહેરહિતમાં એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે,

New Update
a

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.કે.ઉંધાડ દ્વારા જાહેરહિતમાં એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, અને નર્મદા જિલ્લામાં આવેલ તમામ મોબાઈલ/સીમકાર્ડ ડીસ્‍ટ્રીબ્‍યુટર/રીટેઇલર વિક્રેતાઓને સૂચના આપવામાં આવી છે.

મોબાઈલ સીમકાર્ડ તેમજ જુના-નવા મોબાઈલ ફોન ખરીદ-વેચાણ કરતી વખતે સીમકાર્ડ તથા મોબાઇલ ફોન ખરીદનાર-વેચનાર વ્‍યક્તિનું માન્‍ય ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો વગેરે દસ્‍તાવેજો ચકાસવા તેમજ સીમકાર્ડ તેમજ મોબાઇલ ખરીદ-વેચાણ સંદર્ભમાં ખરીદ-વેચાણ કરનારના નામ સરનામાની માહિતીનું નિયત નમૂનામાં રજીસ્‍ટર નિભાવવા હુકમ કરવામાં આવ્યો છે.

જેમાં જણાવવામાં આવ્યું છે કે મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ અનુક્રમ નંબર, મોબાઇલ ફોનની વિગત/કંપની, IMEI નંબર, મોબાઈલ વેચનાર/ખરીદનારના નામ, સરનામાની વિગત અને આઇ.ડી. પ્રુફની વિગત વગેરે વિગતો દર્શાવતું નિયત નમૂનામાં રજીસ્‍ટર નિભાવવા જણાવવામાં આવ્યું છે.આ જાહેરનામાની અમલવારી તા.૧૩/૧૨/૨૦૨૪ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.

Latest Stories