New Update
નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.કે.ઉંધાડ દ્વારા જાહેરહિતમાં એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, અને નર્મદા જિલ્લામાં આવેલ તમામ મોબાઈલ/સીમકાર્ડ ડીસ્ટ્રીબ્યુટર/રીટેઇલર વિક્રેતાઓને સૂચના આપવામાં આવી છે.
મોબાઈલ સીમકાર્ડ તેમજ જુના-નવા મોબાઈલ ફોન ખરીદ-વેચાણ કરતી વખતે સીમકાર્ડ તથા મોબાઇલ ફોન ખરીદનાર-વેચનાર વ્યક્તિનું માન્ય ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો વગેરે દસ્તાવેજો ચકાસવા તેમજ સીમકાર્ડ તેમજ મોબાઇલ ખરીદ-વેચાણ સંદર્ભમાં ખરીદ-વેચાણ કરનારના નામ સરનામાની માહિતીનું નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવા હુકમ કરવામાં આવ્યો છે.
જેમાં જણાવવામાં આવ્યું છે કે મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ અનુક્રમ નંબર, મોબાઇલ ફોનની વિગત/કંપની, IMEI નંબર, મોબાઈલ વેચનાર/ખરીદનારના નામ, સરનામાની વિગત અને આઇ.ડી. પ્રુફની વિગત વગેરે વિગતો દર્શાવતું નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવા જણાવવામાં આવ્યું છે.આ જાહેરનામાની અમલવારી તા.૧૩/૧૨/૨૦૨૪ સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.