/connect-gujarat/media/media_files/2025/03/21/GT4BRN8ID1o17K6ETvzE.jpeg)
આણંદના લાંભવેલ પાસેથી પસાર થતી કેનાલમાંથી રિદ્ધિ સુથાર નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. રિદ્ધિ સુથારે ભાજપ નેતા રૂષિન પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા અને તે પોતે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી. બંનેને દોઢ વર્ષનું બાળક પણ છે.
આણંદના બોરીયાવી નગર પાલિકાના ચેરમેન અને ભાજપ નેતા રૂષિન પટેલની પત્ની રિદ્ધિ સુથારનો શુક્રવારે 21 માર્ચ વહેલી સવાર લાંભવેલ પાસેથી પસાર થતી કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં નડિયાદ ગ્રામ્ય પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે. રિદ્ધીના અચાનક આપઘાત કરી લેવાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
રૂષિન પટેલ થોડા સમય પહેલા જ બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે નિયુક્ત થયા હતા.પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.આ મામલે હત્યા છે કે આત્મહત્યા તે વિશે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.