અંકલેશ્વર : ડબી ફળિયાનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, લાખો રૂપિયાના માલમત્તાની ચોરી...
રામકુંડ વિસ્તારમાં ડબી ફળિયાના બંધ મકાનમાં થઈ ચોરી, લાખો રૂપિયાના માલમત્તાની ચોરી કરીને તસ્કરો થયા ફરાર
BY Connect Gujarat8 Nov 2022 10:20 AM GMT
X
Connect Gujarat8 Nov 2022 10:20 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના રામકુંડ નજીક આવેલ ડબી ફળિયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોના માલમત્તાની ચોરી કરી પલાયન થઈ જતાં એ' ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લામાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર શહેરના રામકુંડ નજીક આવેલ ડબી ફળિયામાં ચોરીની ઘટના સામે આવી છે. ડબી ફળિયામાં રહેતા પટેલ પરિવારના સભ્યો શુક્લતીર્થ ખાતે મેળામાં ફરવા ગયા હતા. આ દરમ્યાન તેમના બંધ મકાનનો લાભ લઈ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. તસ્કરોએ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત લાખોના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે મકાન માલિક દ્વારા ચોરી મામલે અંકલેશ્વર શહેર એ' ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Next Story