Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર :મીરાનગરમાંથી યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યા થઈ હોવાની આશંકા

અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ મીરા નગર પાસેથી પરપ્રાંતીય યુવાનનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

X

અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ મીરા નગર પાસેથી પરપ્રાંતીય યુવાનનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, આજરોજ વહેલી સવારે અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ મીરા નગર પાસેથી પરપ્રાંતીય યુવાનનો હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવી હતો આ અંગે સ્થાનીકોએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને જયાબેન મોદી હોસ્પિટલ બાદ પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડ્યો હતો ઘટનાને પગલે ડી.વાય.એસ.પી.ચિરાગ દેસાઈ સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતક યુવાનના પરિજનોના નિવેદન લઇ હત્યા અંગેનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે મૃતક યુવાન મૂળ બિહાર અને હાલ મીરા નગર સ્થિત લક્ષ્મણ નગરમાં રહેતો ૨૯ વર્ષીય મિથુન મહેશ મંડલ હોવાનું જાણવા મળ્યું છે.

Next Story