અંકલેશ્વર: વિશ્વ તબીબ દિવસ નિમિત્તે રોટરી તેમજ ઈનરવ્હીલ ક્લબ દ્વારા રક્તદાન શિબિર યોજાય

New Update

અંકલેશ્વર ખાતે વિશ્વ તબીબ દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી તેમજ ઈનરવ્હીલ ક્લબ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી તેમજ રોટરી ક્લબની ભગીની સંસ્થા ઈનરવ્હીલ ક્લબ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.


આ પ્રસંગે ઈનરવ્હીલ ક્લબના પ્રમુખ સંધ્યા મિશ્રા સહિતના તમામ સભ્યોએ રક્તદાન કરીને આ દિવસની ઉજવણી કરી હતી જેમાં 50 થી વધારે લોકોએ ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે કોરોનાના કપરા સમયગાળા દરમિયાન પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવનાર તમામ કોરોના વોરિયર્સ તબીબોને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Latest Stories