Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : શ્રી મહાકાલી ફાર્માફેમ કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલ એક કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલ એક કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર GIDCમાં આવેલ શ્રી મહાકાલી ફાર્માફેમ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ કંપની કર્મચારીઓમાં ભાગદોડ મચી હતી. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બાજુમાં આવેલ કંપનીનો પણ કેટલોક ભાગ આગની ઝપેટમાં આવી ગયો હતો. આ સાથે જ કંપનીની નજીકમાં ઉભેલ એક ટ્રક બળીને ખાખ થયો હતો. બનાવની જાણ થતાં જ DPMC સહિતના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 5થી વધુ ફાયર ટેન્ડરની મદદથી ફાયર ફાઇટરોએ પાણી તેમજ ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી, ત્યારે હાલ તો શ્રી મહાકાલી ફાર્માફેમ કંપનીમાં લાગેલી આગની ઘટનામાં કામદારોને જાનહાની મામલે કોઈ કોઈ અહેવાલ મળ્યા નથી. પરંતુ આગને જોતા મોટી જાનહાની થઈ હોવાનો અંદાજ લગાવી શકાય છે. જોકે, આગ લાગી હોવાનું કારણ જાણી શકાયું નથી. પરંતુ સોલ્વન્ટના જથ્થામાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story