અંકલેશ્વર:  પુનગામ ખાતે MLA ઇશ્વરસિંહ પટેલે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશયથી સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
a

ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશયથી સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આજરોજ અંકલેશ્વર તાલુકાના પુનગામ ખાતે અંકલેશ્વર મતવિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કૃષિ અને પશુપાલન વિભાગની વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી સહાય હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે  ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક વધે અને આધુનિક કૃષિ પદ્ધતિ તેમજ વિવિધ ખેતી વિષયક યોજનાઓની જાણકારી મળી રહે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. આ કૃષિ મહોત્સવના કારણે ખેડૂતો આજે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ અને આધુનિક કૃષિ પદ્ધતિ અપનાવી મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. ખેડૂતોને સરકારી યોજનાઓની જાણકારી મળી રહે તેમજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આધુનિક કૃષિ પદ્ધતિ અંગે ખેડૂતોને માહિતગાર કરે તે માટે કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.  
Read the Next Article

ગુજરાત સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય, વિઝીટીંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં કરાયો વધારો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો,

New Update
vrd bh

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. 

આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ ૩ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 4,200 માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડીયાટ્રીશીયન અને જનરલ ફીઝિશીયનને પ્રતિ દિન રૂ. 3 હજાર અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિ દિન રૂ. 2 હજાર માનદ વેતન આપવામાં આવતું હતું. 

રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝીટીંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટને 3 કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂ. 8,500 અને સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટ તબીબોને રૂ. 2,700 આપવામાં આવતા હતા, જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટને રોજના લઘુતમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 8,500 મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Latest Stories