સુરેન્દ્રનગરમાં વધુ એક હનીટ્રેપની ઘટના, રૂ. 9.45 લાખ ખંખેરનાર 5 શખ્સોને પોલીસે કરાવ્યુ કાયદાનું ભાન...

સુરેન્દ્રનગર જીલ્લામાં વધુ એક હનીટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે. યુવતીનો વીડિયો બનાવી રૂ. 9.45 લાખ પડાવ્યા હોવાનું સામે આવતા પોલીસે 5 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • સુરેન્દ્રનગરમાંથી વધુ એક હનીટ્રેપની ઘટના પ્રકાશમાં આવી

  • યુવતીનો વીડિયો બનાવી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું

  • રૂ. 9.45 લાખ ખંખેરનાર 5 શખ્સો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી

  • બી’ ડિવિઝન પોલીસ દ્વારા કરાય પાંચેય શખ્સોની ધરપકડ

  • હનીટ્રેપને અંજામ આપનાર શખ્સોને કરાવ્યુ કાયદાનું ભાન

સુરેન્દ્રનગર જીલ્લામાં વધુ એક હનીટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે. યુવતીનો વીડિયો બનાવી રૂ. 9.45 લાખ પડાવ્યા હોવાનું સામે આવતા પોલીસે 5 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હનીટ્રેપનો ભોગ બનતા પાટડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હતીત્યારે હવે વધુ એકવારહનીટ્રેપની ઘટના સુરેન્દ્રનગરમાંથીસામે આવી છે. જેમાં એકલી રહેતી યુવતીનો મહંત સાથેનો વિડિયો બનાવી મહિલા પાસેથી રૂ. 9.45 લાખ રોકડ રકમ પડાવી લેવામાં આવી હતી. સમગ્ર મામલે સુરેન્દ્રનગર બી’ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં અપરણિત મહિલાના ઘરમાં ઘુસી જઈ હથિયારના હાથે વિડિયો બનાવી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુંત્યારે સુરેન્દ્રનગર બી’ ડિવિઝન પોલીસે હનીટ્રેપની ઘટનાને અંજામ આપનાર તમામ 5 શખ્સોની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યુ હતું.

Read the Next Article

ભરૂચ: ભારે વાહનો માટે બંધ આમોદ નજીક ઢાઢર નદી પરના બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરાયુ, રિપોર્ટ આવ્યા બાદ લેવાશે નિર્ણય

પાદરા તાલુકાનાં ગંભીરાબ્રીજની દુઘટર્ના બાદ તંત્ર સફાળું જાગ્યુ હતું અને ગૂજરાતભરમાં આવેલાં જુના અને ખખડધજ બ્રીજની ચકાસણી કરવામાં આવી રહી છે

New Update
Dhadhar River Bridge
ભરૂચના આમોદ જંબુસરનો જોડતા ઢાઢર નદી પરના બ્રિજનું માર્ગ મકાન વિભાગ દ્વારા લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.પાદરા તાલુકાનાં ગંભીરાબ્રીજની દુઘટર્ના બાદ તંત્ર સફાળું જાગ્યુ હતું અને ગૂજરાતભરમાં આવેલાં જુના અને ખખડધજ બ્રીજની ચકાસણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી હતી. આ અગાઉ ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા ઢાઢર બ્રીજની ભયજનક સ્થિતિના પગલે  ભારદારી વાહનો માટે પ્રતિબંધનો હુકમ કરવામાં આવ્યો હતો.
અંદાજિત એક મહિનાથી ભારદારી વાહનો માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા એન.ડી. ટી. ટેસ્ટ અને બ્રિજના સ્લેબમાંથી કોર લેડલ ટેસ્ટ માટે બ્રિજના પિલ્લરમાં તેમજ કેપમાંથી મહાકાય ક્રેનની મદદથી કોર લેડલ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેના પગલે બ્રિજના  સ્ટ્રક્ચરની મજબૂતી કેવી છે અને એના પરથી ભારદારી વાહનો પસાર થઈ શકશે કે કેમ તે અંગેનો રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા અગાઉના નિર્ણયો લેવાશે.