અરવલ્લી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રૂ. 282 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું...

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લામાં રૂ. 282 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું

New Update
  • જિલ્લામાં રૂ. 282 કરોડના ખર્ચે નિર્માણ પામ્યા વિકાસ કાર્યો

  • રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં લોકાર્પણ

  • આઇકોનિક બસપોર્ટ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ

  • સાંસદ કાર્યાલયસમરસ હોસ્ટેલ અને લાયબ્રેરીનું લોકાર્પણ

  • નાગરિકોને વિવિધ પ્રકલ્પોની ભેટ મળી : ભુપેન્દ્ર પટેલ 

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લામાં રૂ. 282 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના છેવાડાના ગામડાઓમાં આજે તમામ પ્રકારની સુવિધાઓ પહોંચી રહી છે. અરવલ્લી જિલ્લાની રચના બાદ વિકાસની રફ્તાર પણ વધુ તેજ બની છેત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લામાં રૂ. 282 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોડાસા આઇકોનિક બસપોર્ટભિલોડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલસાંસદ કાર્યાલયસમરસ હોસ્ટેલ અને લાયબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કેગુજરાત રાજ્યના નાનામાં નાના ગામડાઓમાં સારા રસ્તા અને પીવાના પાણીની સુવિધા પહોચી છે. અરવલ્લી જિલ્લાના નાગરિકોને વિવિધ પ્રકલ્પોની ભેટ મળી છે. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરરાજ્યમંત્રી ભીખુસિંહ પરમારસાંસદ શોભના બારૈયાભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડા સહીતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.