અરવલ્લી: મેઘરજના નવાગામ કંટાળુ હનુમાનજી મંદિરમાં ચોરી

અરવલ્લીના મેઘરજના અંતરિયાળ નવાગામ કંટાડું હનુમાનજી મંદિરે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી

New Update

અરવલ્લીના મેઘરજના અંતરિયાળ નવાગામ કંટાડું હનુમાનજી મંદિરે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી

અરવલ્લી જિલ્લાના મેઘરજના ઇસરી નવાગામ ખાતે પ્રાચીન કંટાળુ હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિરમાં દરરોજ ભક્તો દાદાના દર્શન માટે આવતા હોય છે ત્યારે ગત રાત્રે આ મંદિર માં તસ્કરો ત્રાટકયા હતા. મંદિરની દાનપેટી તોડીને તેમાં રહેલ રોકડની તસ્કરી કરી હતી એટલુ જ નહીં આ પરિસરમાં આવેલ રામજી મંદિરમાં રહેલી દાનપેટી પણ તસ્કરોએ તોડીને તેમાં રહેલી રોકડની ચોરી કરી છે. તસ્કરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે ગ્રામવાસીઓએ મંદિરે કાયમી પોલીસ કે હોંમગાર્ડનો બંદોબસ્ત રાખવાની માગ પણ કરી છે 
Latest Stories