અરવલ્લી: મેઘરજના નવાગામ કંટાળુ હનુમાનજી મંદિરમાં ચોરી

અરવલ્લીના મેઘરજના અંતરિયાળ નવાગામ કંટાડું હનુમાનજી મંદિરે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી

New Update

અરવલ્લીના મેઘરજના અંતરિયાળ નવાગામ કંટાડું હનુમાનજી મંદિરે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી

અરવલ્લી જિલ્લાના મેઘરજના ઇસરી નવાગામ ખાતે પ્રાચીન કંટાળુ હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિરમાં દરરોજ ભક્તો દાદાના દર્શન માટે આવતા હોય છે ત્યારે ગત રાત્રે આ મંદિર માં તસ્કરો ત્રાટકયા હતા. મંદિરની દાનપેટી તોડીને તેમાં રહેલ રોકડની તસ્કરી કરી હતી એટલુ જ નહીં આ પરિસરમાં આવેલ રામજી મંદિરમાં રહેલી દાનપેટી પણ તસ્કરોએ તોડીને તેમાં રહેલી રોકડની ચોરી કરી છે. તસ્કરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે ગ્રામવાસીઓએ મંદિરે કાયમી પોલીસ કે હોંમગાર્ડનો બંદોબસ્ત રાખવાની માગ પણ કરી છે 
Advertisment
Read the Next Article

જુનાગઢ : મેંદરડામાં ડોક્ટરની ખાલી જગ્યાઓથી લોકહિત પર સંકટ, 47 ગામના દર્દીઓ સારવાર માટે ભટક્યા..!

મેંદરડા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 7 મહિનાથી એક પણ કાયમી MBBS ડોક્ટર ફરજ પર નથી. હાલ બધાજ ડોક્ટરો ડેપ્યુટેશન અથવા અસ્થાયી ધોરણે કામ કરી રહ્યા છે

New Update
  • મેંદરડા તાલુકામાં આરોગ્ય સેવા ગંભીર રીતે ખોરવાય

  • સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની કાયમી જગ્યા ખાલી

  • 47 ગામોના નાગરિકોને આવતો હાલાકી વેઠવાનો વારો

  • અનેક દર્દીઓને આરોગ્ય સેવા સામે તકલીફોનો સામનો

  • વહેલી તકે તબીબની નિમણૂંક કરવા સ્થાનિકોની રજૂઆત 

Advertisment

જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આરોગ્ય સેવા છેલ્લા ઘણાં સમયથી ગંભીર રીતે ખોરવાઈ રહી છે. ખાસ કરીને મેંદરડા તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી MBBS ડોક્ટરની કાયમી જગ્યાઓ ખાલી પડેલી છે. આ ઘટનાથી ન માત્ર શહેરના લોકોપણ આસપાસના 47 ગામોના નાગરિકોને પણ ગંભીર તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

જુનાગઢ જિલ્લાના મેંદરડા આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 7 મહિનાથી એક પણ કાયમી MBBS ડોક્ટર ફરજ પર નથી. હાલ બધાજ ડોક્ટરો ડેપ્યુટેશન અથવા અસ્થાયી ધોરણે કામ કરી રહ્યા છે. આ બદલતી સેવાઓના કારણે દર્દીઓને સતત અવ્યવસ્થાનો સામનો કરવો પડે છેજ્યારે ગંભીર કે ઇમરજન્સી કેસમાં તેમને જૂનાગઢ શહેર સુધી દોડવું પડે છે. આ સમસ્યા અંગે હવે લોકોમાં અસંતોષ ઉગ્ર બની રહ્યો છે.

મેંદરડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુ વિઠલાણી સહિત ગામના આગેવાનોએ સ્થાનિક રાજકીય પક્ષોના સહયોગથી મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવી તાત્કાલિક કાયમી ડોક્ટર નિમણૂક કરવાની માંગ કરી છે. તેઓએ જણાવ્યું કે, “અમે અગાઉ પણ આ મુદ્દે અનેક રજૂઆતો કરી છેપણ તંત્ર તરફથી કોઈ પગલું લેવાતું નથી. હવે લોકોના ધીરજનો પાળો તૂટી રહ્યો છે.” મેંદરડા સાણંદ તરફથી ગીર સાસણ જવા માટેનું પ્રવેશદ્વાર છે. તહેવારોવેકેશન અને લગ્ન સિઝનમાં અહીં હજારો પ્રવાસીઓ આવતા હોય છે.

વર્ષ 2023-24માં CHCમાં દરરોજ આશરે 300 દર્દીઓ સારવાર માટે આવતા હતા. પરંતુ હાલ કોઈ ક્વોલિફાઇડ ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓની સંખ્યા ઘટી રહી છેઅને લોકો મજબૂરીમાં ખાનગી હોસ્પિટલ કે જૂનાગઢ તરફ દોડે છેજ્યારે અન્ય નજીકના તાલુકાઓમાં 3થી વધુ કાયમી MBBS ડોક્ટરો ફરજ બજાવી રહ્યા છેત્યારે મેંદરડા CHCમાં એક પણ કાયમી ડોક્ટર નથી. લોકો ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે કે, “શું મેંદરડા તાલુકો તંત્ર માટે ઓરમાયો છે?” સ્થાનિકોએ ચિમકી આપી છે કેજો તાત્કાલિક ડોક્ટરની કાયમી નિમણૂક નહીં થાય તો ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

મેંદરડા CHCમાં રોજબરોજ અકસ્માત કેઈમરજન્સી કેસો પણ આવતા હોય છેત્યારે કાયમી ડોક્ટર ન હોવાના કારણે ઘણીવાર સારવારમાં વિલંબ થાય છેજે દર્દી માટે જીવલેણ બની શકે છે. તાલુકા મથક પર આરોગ્ય સેવાની આ સ્થિતિે તંત્રના આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

Advertisment