અરવલ્લી: મેઘરજના નવાગામ કંટાળુ હનુમાનજી મંદિરમાં ચોરી

અરવલ્લીના મેઘરજના અંતરિયાળ નવાગામ કંટાડું હનુમાનજી મંદિરે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી

New Update

અરવલ્લીના મેઘરજના અંતરિયાળ નવાગામ કંટાડું હનુમાનજી મંદિરે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી

અરવલ્લી જિલ્લાના મેઘરજના ઇસરી નવાગામ ખાતે પ્રાચીન કંટાળુ હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિરમાં દરરોજ ભક્તો દાદાના દર્શન માટે આવતા હોય છે ત્યારે ગત રાત્રે આ મંદિર માં તસ્કરો ત્રાટકયા હતા. મંદિરની દાનપેટી તોડીને તેમાં રહેલ રોકડની તસ્કરી કરી હતી એટલુ જ નહીં આ પરિસરમાં આવેલ રામજી મંદિરમાં રહેલી દાનપેટી પણ તસ્કરોએ તોડીને તેમાં રહેલી રોકડની ચોરી કરી છે. તસ્કરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે ગ્રામવાસીઓએ મંદિરે કાયમી પોલીસ કે હોંમગાર્ડનો બંદોબસ્ત રાખવાની માગ પણ કરી છે 
Read the Next Article

વિજય રૂપાણી જન્મે બર્મીઝ પરંતુ ગુજરાતના રાજકોટમાં વસીને કર્મે બન્યા હતા ગુજરાતી

વિજય રૂપાણીનો જન્મ 2 ઓગષ્ટ 1956ના રોજ બર્માના રંગુનમાં થયો હતો તે જન્મે બર્મીઝ છે પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતા.

New Update
Vijar Rupani Journey

અમદાવાદથી એર ઈન્ડિયાની ફ્લાઈટે લંડન માટે ઉડાન ભરીપરંતુ ઉડાન ભરતાની સાથે જ આ વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું,અને પ્લેનમાં સવાર તમામ યાત્રિકો મૃત્યુને ભેટ્યા છે.આ યાત્રીઓમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. વિજય રૂપાણીને હંમેશા ગુજરાત સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે યાદ રાખશે.

મહત્વનું છે કેવિજય રૂપાણીનો જન્મ 2 ઓગષ્ટ 1956ના રોજ બર્માના રંગુનમાં થયો હતો તે જન્મે બર્મીઝ છે પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતા.1971થી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું હતું. તેઓ કોર્પોરેટરથી શરૂઆત કરીને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા.

વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી મુખ્યમંત્રી રૂપાણીએ કોલેજના દિવસોમાં તેમની યુવાશક્તિનો ઉપયોગ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠનના પડકારો દૂર કર્યા હતા. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે તેઓ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેઓ આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા. વિદ્યાર્થીકાળ દરમિયાન આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરવા માટેના વિરોધ પ્રદર્શનમાં તેમણે આગેવાની કરી હતી.

ભાવનગર-ભુજમાં જેલવાસ કટોકટી દરમિયાન તેઓ લોક આંદોલનો સાથે સક્રિય રીતે જોડાયા હતા અને 1976માં ખૂબ જ નાની વયે તેમણે ભૂજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા હેઠળ જેલવાસ વ્હોર્યો હતો.

1987માં કોર્પોરેટર બન્યા ત્યાર બાદ 1987માં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી. રાજકોટ શહેરને શ્રેષ્ઠ શહેરમાં રૂપાંતર કરવા માટે તેમણે તેમની રાજકીય કુનેહનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતા.

ત્રણ ટર્મ મહામંત્રીરાજ્યસભા MP, પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી તેઓએ રહી ચુક્યા હતા. તેઓ 1988થી 1995 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર(1996-97) રહી ચૂક્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચૂક્યા હતા. 2006 ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ2006થી 2012 રાજ્યસભાના સાંસદ2013ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનસૌરાષ્ટ્ર સ્ટોક એક્સચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા હતા.

તેઓ પહેલી વિધાનસભા ચૂંટણી વજુભાઇ વાળા જે બેઠક (રાજકોટ-2)પર જીતતા આવ્યા હતા અને મોદી સૌપ્રથમ જ્યાંથી ધારાસભા લડ્યા તે સીટ પરથી લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો હતો. જેમાં તેની પાસે પાણી પુરવઠાશ્રમ અને રોજગારવાહનવ્યવહાર વિભાગ હતા. બાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. 7 ઓગસ્ટ 2016 રોજ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ 2018ના જાન્યુઆરીમાં બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા.

વિજય રૂપાણીએ સત્તા સંભાળતાની સાથે જ સૌરાષ્ટ્ર કચ્છના પ્રાણ પ્રશ્ન સમાન પાણીના પ્રશ્નને નિવારવા પ્રયત્નો કર્યા હતા. આ પ્રયાસો ઘણા અંશે સફળ પણ થયા છે. આ ઉપરાંત ભુમાફિયાઓ સામે પણ કડક નિર્ણયો લીધા હતા. કોરોના કાળમાં લેવાયેલા સંવેદનશીલ નિર્ણયોની ચોમેર પ્રશંસા થઈ હતી. વાવાઝોડા સહિતની કુદરતી આપત્તિઓ સમયે તેમણે ખડેપગે રહી બચાવ અને રાહત કામગીરીનું સુકાન સાંભળ્યું હતું.

અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. વિજય રૂપાણી પોતાની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા. ત્યારે તેઓનું કરૂણ મોત થયું છે.