અરવલ્લી : વિકાસથી વંચિત ગ્રામજનો પદયાત્રા કરવા મજબૂર બન્યા, સ્થાનિકોને રોજગારી નહીં અપાતી હોવાનો પણ આક્ષેપ

અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો હવે વિકાસથી વંચિત રહેતા લોકો પદયાત્રા કરવા મજબૂર બન્યા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં હજુ પણ લોકો વિકાસથી વંચિત છે.

New Update
  • ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસથી વંચિત લોકોની પદયાત્રા

  • તંત્રના કાન ખોલવા ગ્રામજનોએ પદયાત્રાનો દોર શરૂ કર્યો

  • કેટલાક ગામોમાં માળખાકીય સુવિધાનો અભાવ યથાવત

  • આદિવાસી વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત : સ્થાનિક

  • સ્થાનિકોને રોજગારી નહીં આપવામાં આવતી હોવાનો આક્ષેપ

Advertisment W3.CSS

અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો હવે વિકાસથી વંચિત રહેતા લોકો પદયાત્રા કરવા મજબૂર બન્યા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં હજુ પણ લોકો વિકાસથી વંચિત છે. જેને લઇને લોકો તંત્રના કાન ખોલવાપદયાત્રાનો દોર શરૂ થયો છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંદિયોલથી ભિલોડા તાલુકા પંચાયત સુધી ગ્રામજનોએ માળખાકીય સુવિધાના અભાવે પદયાત્રા યોજી હતી. વાંદિયોલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આ પહેલા તંત્રને લેખિતમાં આવેદન પત્રો આપ્યા હતા. જોકેકોઈ જ નિરાકરણ નહીં આવતા ગાંધી ચિંધ્યા માર્ગે પદયાત્રાનો યોજી હતી. ગામમાં ડામર રોડગરનાળા બનાવવાતૂટી ગયેલા ચેક ડેમનું સમારકામઆંગણવાડીનું જર્જરિત મકાન બનાવવા સહિતની માંગ કરવામાં આવી રહી છે.

આ સાથે જ GIDCમાં સ્થાનિકોને રોજગારીઆંબેડકર આવાસ યોજના તેમજ પંડિત દિનદયાળ યોજનાનો લાભ નહીં આપવામાં આવવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ પદયાત્રા યોપજી હતી. એક તરફનેતાઓ તાલુકાની માંગણી કરી રહ્યા છે. તો બીજી તરફગ્રામ્ય વિસ્તારોમાં હજુ વિકાસ ન પહોંચ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ વિસ્તારોની મુલાકાત કેમ લેતા નથી તે પણ એક મોટો સવાલ છે. અધિકારીઓએ પણ એકાદ ડોકિયું ગામમાં કરવું જોઈએ. એટલું જ નહીંરાત્રી મુકામ જેવા કાર્યક્રમો પણ અહીં થાય તો લોકોની સમસ્યાઓ જાણી શકાય તેમ છે. હાલ તો પદયાત્રા વચ્ચે તંત્ર ગામની રજૂઆતોને ધ્યાને લેશે કેપછી આવેદન પત્રો દફ્તરે થશે તે પણ એક મોટો સવાલ છે.

 

Read the Next Article

અંકલેશ્વર: પાનોલી GIDCની સ્ટરલાઈટ કંપનીમાં ભીષણ આગથી દોડધામ,5 ફાયર ફાયટરોએ આગ પર મેળવ્યો કાબુ

કલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચોપેટમાં આવી

New Update
  • અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીનો બનાવ

  • સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં આગ

  • આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

  • 5 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો

Advertisment W3.CSS
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક નામની કંપનીમાં મોડી રાત્રીના સમયે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વરમાં ફરી એક વાર આગનો બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચોપેટમાં આવી ગયો હતો. કામદારો સમયસુચકતા વાપરી બહાર નીકળી ગયા હતા.આ અંગેની જાણ થતા જ અંકલેશ્વર ડીપીએમસીના 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
તો બીજી તરફ અંકલેશ્વર મામલતદાર,જીઆઇડીસી પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. લગભગ ૨ થી ૩ કલાકની જહેમત  બાદ 5 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.