અરવલ્લી : વિકાસથી વંચિત ગ્રામજનો પદયાત્રા કરવા મજબૂર બન્યા, સ્થાનિકોને રોજગારી નહીં અપાતી હોવાનો પણ આક્ષેપ

અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો હવે વિકાસથી વંચિત રહેતા લોકો પદયાત્રા કરવા મજબૂર બન્યા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં હજુ પણ લોકો વિકાસથી વંચિત છે.

New Update
  • ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસથી વંચિત લોકોની પદયાત્રા

  • તંત્રના કાન ખોલવા ગ્રામજનોએ પદયાત્રાનો દોર શરૂ કર્યો

  • કેટલાક ગામોમાં માળખાકીય સુવિધાનો અભાવ યથાવત

  • આદિવાસી વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત : સ્થાનિક

  • સ્થાનિકોને રોજગારી નહીં આપવામાં આવતી હોવાનો આક્ષેપ

અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો હવે વિકાસથી વંચિત રહેતા લોકો પદયાત્રા કરવા મજબૂર બન્યા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં હજુ પણ લોકો વિકાસથી વંચિત છે. જેને લઇને લોકો તંત્રના કાન ખોલવાપદયાત્રાનો દોર શરૂ થયો છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંદિયોલથી ભિલોડા તાલુકા પંચાયત સુધી ગ્રામજનોએ માળખાકીય સુવિધાના અભાવે પદયાત્રા યોજી હતી. વાંદિયોલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આ પહેલા તંત્રને લેખિતમાં આવેદન પત્રો આપ્યા હતા. જોકેકોઈ જ નિરાકરણ નહીં આવતા ગાંધી ચિંધ્યા માર્ગે પદયાત્રાનો યોજી હતી. ગામમાં ડામર રોડગરનાળા બનાવવાતૂટી ગયેલા ચેક ડેમનું સમારકામઆંગણવાડીનું જર્જરિત મકાન બનાવવા સહિતની માંગ કરવામાં આવી રહી છે.

આ સાથે જGIDCમાં સ્થાનિકોને રોજગારીઆંબેડકર આવાસ યોજના તેમજ પંડિત દિનદયાળ યોજનાનો લાભ નહીં આપવામાં આવવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ પદયાત્રા યોપજી હતી. એક તરફનેતાઓ તાલુકાની માંગણી કરી રહ્યા છે. તો બીજી તરફગ્રામ્ય વિસ્તારોમાં હજુ વિકાસ ન પહોંચ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ વિસ્તારોની મુલાકાત કેમ લેતા નથી તે પણ એક મોટો સવાલ છે. અધિકારીઓએ પણ એકાદ ડોકિયું ગામમાં કરવું જોઈએ. એટલું જ નહીંરાત્રી મુકામ જેવા કાર્યક્રમો પણ અહીં થાય તો લોકોની સમસ્યાઓ જાણી શકાય તેમ છે. હાલ તો પદયાત્રા વચ્ચે તંત્ર ગામની રજૂઆતોને ધ્યાને લેશે કેપછી આવેદન પત્રો દફ્તરે થશે તે પણ એક મોટો સવાલ છે.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.