અરવલ્લી : અંતરિયાળ ગામડાઓ પાણીની સુવિધાઓથી વંચિત, યોજનાની વાતો સરકારી ચોપડે જ સિમિત..!

અંતરિયાળ ગામડાઓમાં હજુ સુધી સરકારી પ્રાથમિક સુવિધાઑ પ્રાપ્ત થઈ નથી જેને લઈને સ્થાનિકોએ પાણી માટે વલખાં મારવા પડે છે.

New Update
અરવલ્લી : અંતરિયાળ ગામડાઓ પાણીની સુવિધાઓથી વંચિત, યોજનાની વાતો સરકારી ચોપડે જ સિમિત..!

અરવલ્લી જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પોકાર શરૂ થઇ જાય છે, પહેલા તો જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાતી હતી, હવે તો કલેક્ટર કચેરીથી માત્ર 9 કિ.મી.ના અંતરે આવેલ મોડાસા તાલુકાના અમલાઈ ટાંડા ગામે જ પાણીનો પોકાર પડી રહ્યો છે. માતા-બહેનો 42 ડિગ્રી તાપમાનમાં માથે ઘડો અથવા તો માટલા મુકીને પાણી લાવવાની ભરવા જાય છે.

મોડાસા તાલુકાના અમલાઈ ટાંડા ગામની વસ્તી અંદાજે 3500 થી 4000ની છે, પણ પાણીની પળોજણ વચ્ચે લોકોએ પીસાવાનો વારો આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલનની બેઠકમાં પાણીની સમસ્યાઓ હલ કરવાને લઇને સૂચનાઓ આપવામાં આવે છે, તેમ છતાં પાણીની સમસ્યાનું કોઇ જ નિરાકરણ આવતું નથી. પાણી ખરેખર નળથી આપવા લોકમાંગ ઉઠી છે .

Read the Next Article

પંચમહાલ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વાહન પાર્કિંગના નામે ભક્તો બની રહ્યા છે ઉઘાડી લૂંટનો ભોગ

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શનિ-રવિ રજાના દિવસે ભક્તોનો ઘસારો જોવા મળે છે,લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તો પાર્કિંગના નામે ઉઘાડી લૂંટનો ભોગ બની રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

New Update
  • પાવાગઢ આવતા ભક્તોમાં નારાજગી

  • શનિ રવિવારે ભક્તોની જામે છે ભીડ

  • પાર્કિંગના નામે ભક્તો સાથે ઉઘાડી લૂંટ

  • સરકારી જમીનમાં કાર પાર્કિંગની ઉઘરાણી

  • અધિકૃત રસીદ વગર રૂ.100ની કરાય છે વસૂલી    

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શનિ-રવિ રજાના દિવસે ભક્તોનો ઘસારો જોવા મળે છે,લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તો પાર્કિંગના નામે ઉઘાડી લૂંટનો ભોગ બની રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડા પૂર ઉમટે છે,અને ખાસ કરીને જ્યારે વાર તહેવારે કે શનિ રવિવારની રજાઓમાં મહાકાળી માતાના દર્શને આવતા ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળે છે.જોકે આ દિવસોમાં સરકારી જગ્યામાં કાર પાર્ક કરતા ભક્તો પાર્કિંગના નામે લૂંટાય રહ્યા છે.ભક્તો પાસે કાર પાર્કિંગના નામે 100 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે.અને જેની કોઈ અધિકૃત રસીદ પણ આપવામાં આવી નથી.આ અંગે એક ભક્તે રોષ વ્યક્ત કર્યો હતો.

 

Latest Stories