શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરાયું.

બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી પર્વની ભક્તિસભર ઉજવણીનો પ્રારંભ થયો છે.મંદિરના વહીવટદાર કૌશિક મોદીના હસ્તે ઘટ સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.

New Update

શક્તિપીઠ અંબાજીમાં ભક્તિરસ છલકાયો 

Advertisment W3.CSS

નવરાત્રી પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ સાથે ઘટ સ્થાપના કરાઈ 

અંબાજી મંદિરને કરાયો સુંદર રોશની સહિતનો શણગાર 

વહેલી સ્વાર્થી જ માતાજીના દર્શન માટે ભક્તોની લાગી કતાર 

ટ્રસ્ટ દ્વારા ભક્તોને દર્શન માટે કરવામાં આવી પૂરતી વ્યવસ્થા 

બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી પર્વની ભક્તિસભર ઉજવણીનો પ્રારંભ થયો છે.મંદિરના વહીવટદાર કૌશિક મોદીના હસ્તે ઘટ સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
નવરાત્રી પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજીમાં માતાના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. આજે અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપના વિધિ કરીને નવરાત્રીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંદિરના વહીવટદાર કૌશિક મોદી,અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઘટ સ્થાપના વિધિમાં સાત ધાન્યને કાપની માટીમાં રોપવામાં આવ્યા છે. માન્યતા પ્રમાણે ઘટ સ્થાપના વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે.
શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. નોરતાના પ્રારંભ સાથે જ મોટી સંખ્યામાં લોકો માઁ અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. દૂરદૂરથી નવરાત્રી નિમિત્તે આવેલા ભકતોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તોની ભીડ વચ્ચે પણ શાંતિપૂર્વક દર્શન થતા ભાવિકોએ સુચારૂ વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો  હતો.અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો  માઁ  અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. નવરાત્રી નિમિત્તે મંદિરને ભવ્ય રંગબેરંગી રોશની સહિતની સજાવટ સાથે શણગાર કરવામાં આવ્યો છે.
Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાય, વૃક્ષારોપાણ કરાયુ

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંદાજિત ૧૫૦ જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • પર્યાવરણ દિવસની કરાય ઉજવણી

  • પોલીસ દ્વારા આયોજન કરાયુ

  • વૃક્ષારોપાણનો યોજાયો કાર્યક્રમ

  • પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જોડાયા

Advertisment W3.CSS
આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ કર્મીઓ જોડાયા હતા ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે  જિલ્લા પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 
ડીવાયએસપી ડો. અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ અને એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પીએસઆઈ સહિતના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અવસરે પોલીસ મથકના પ્રાંગણમાં અંદાજિત ૧૫૦ જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોમાં ફળદ્રુપ, ઔષધિય તેમજ છાયાદાર વૃક્ષોનો સમાવેશ થાય છે.