Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : રેલ્વે ટ્રેક ઓળંગવા જતાં ટ્રેનની અડફેટે આવી જતાં 3ના મોત, દાદા સાથે 2 પૌત્રીઓના મોતથી પરિવાર શોકમાં ગરકાવ

ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. એક સાથે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા કિડોતર ગામમાં શોકનો માહોલ છવાયો

બનાસકાંઠા : રેલ્વે ટ્રેક ઓળંગવા જતાં ટ્રેનની અડફેટે આવી જતાં 3ના મોત, દાદા સાથે 2 પૌત્રીઓના મોતથી પરિવાર શોકમાં ગરકાવ
X

અમીરગઢના કિડોતર નજીક રેલવે ટ્રેક ઓળંગવા જતા ટ્રેનની અડફેટે દાદા અને બે પૌત્રીઓ આવી જતાં ત્રણેયના કરુણ મોત નિપજ્યા છે. દાદા તેમની 5 વર્ષીય અને 2 વર્ષીય પૌત્રીઓ સાથે રેલવે ટ્રેક ઓળંગવા જતા હતા ત્યારે અચાનક આબુરોડ તરફથી આવતી યોગાનગરી ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. એક સાથે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા કિડોતર ગામમાં શોકનો માહોલ છવાયો છે. રેલવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રેલ્વે પોલીસ દ્વારા પંચનામું કર્યુ હતું, જેમાં માહિતી અપાઈ કે, ઓબસિંહ લાલાસિંહ ડાભી (ઉંમર 65 વર્ષ), કાજલબા સોરમસિંહ ડાભી (ઉંમર 2 વર્ષ ) અને કુશમ બા સોરમસિંહ ડાભી (ઉમર 5 વર્ષ) ના ટ્રેનની અડફેટે આવી જવાથી મોત થયા છે. એક હસતા ખેલાતા પરિવારના ત્રણ સભ્યોની આવી અણધારી વિદાયથી સમગ્ર કિડોતર ગામ હિબકે ચઢ્યુ હતુ.

Next Story