બનાસકાંઠા : ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે પાલનપુરમાં તબીબ ઉપર જીવલેણ હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે વિવાદ સર્જાતા તબીબ ઉપર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

New Update

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે વિવાદ સર્જાતા તબીબ ઉપર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

મળતી માહિતી અનુસારબનાસકાંઠા જિલ્લાના પાલનપુર હાઇવે પર આવેલી હોસ્પિટલમાં તબીબ ઉપર હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે સામાન્ય બોલાચાલીમાં ડો. એચ.કે.ગૌસ્વામી પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં કેટલાક લોકોએ તબીબ ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

હુમલામાં તબીબ ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબને પેટના ભાગે ઘાતકી હથિયારથી ઇજા પહોંચાડી હતીત્યારે સમગ્ર ઘટનાનાCCTV ફૂટેજ સામે આવતા પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.