બનાસકાંઠા : પ્રચંડ વિસ્ફોટ સાથે ફટાકડા ફેક્ટરી ભડકે’ બળી, 17 લોકોના મોત, 5 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ...

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી અને ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડા ફેક્ટરીની ઘટના

  • ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ

  • ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યા

  • 17 લોકોના મોત5 જેટલા લોકો સારવાર હેઠળ

  • ઘટના અંગે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરાય

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી અને ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. તો બીજી તરફઆ ઘટનામાં 17 લોકોના મોત થયા છેજ્યારે 5 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 17 શ્રમિકોના મોત થયા છે. મૃતકોમાં 4થી 5 કિશોરનો પણ સમાવેશ થાય છેજ્યારે 5 જેટલા ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબદીપક ટેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કેબાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતાં 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતોજ્યારે શ્રમિકોના માનવઅંગો પણ દૂર દૂર સુધી ફેંકાયાં હતા. બનાવની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 ઈમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

આ સાથે જSDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. તો બીજી તરફ, FSLની ટીમ દ્વારા પણ વિસ્ફોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મૃતકોને રૂ. 4 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. બનાવના પગલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીકલેક્ટર મિહિર પટેલનાયબ કલેક્ટર નેહા પંચાલડીવાયએસપીમામલતદાર સહિત તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસારઆ શ્રમિકો 2 દિવસ પહેલાં જ અહીં કામ અર્થે આવ્યા હતા. આ કંપની ખૂબચંદ સિંધી નામની વ્યક્તિની છે. જે વ્યક્તિ ઘટના બાદ ફરાર થઈ ગયો છે. આ કંપનીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા. જોકેમાલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધી હતી. ફટાકડા બનાવવા માટેની નહીં. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

Read the Next Article

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસ્યું, આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

New Update
chikhali

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

હવે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તાજા અપડેટ પ્રમાણે, 3 જુલાઇ 2025 થી 8 જુલાઇ 2025 સુધીનો સમયગાળો ખુબ જ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. 

અત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી એટલે કે 3 જુલાઈથી 8 જુલાઈ સુધીની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આ સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે રેડ એલર્ટ અપાયું નથી. આજે રાજ્યના 13 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ઉપરાંત અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતનો સમાવેશ થાય છે. જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આવતીકાલે એટલે કે 4થી જુલાઇએ દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી છે. ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ માટે યલો એલર્ટ અપાયું છે. બાકીનાં તમામ જિલ્લાઓમાં વરસાદ નહીવત્ત રહેશે.

5 જુલાઇ 2025 ના દિવસે અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બાકીનાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત્ત રહેશે