બનાસકાંઠા:અંબાજીમાં પોલીસ દ્વારા લોક દરબારનું કરાયુ આયોજન,વ્યાજખોરો સામે ફરિયાદ કરવા SPની અપીલ

રાજ્યભરમાં વ્યાજખોરો સામે સઘન મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા એસપી દ્વારા અંબાજી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
બનાસકાંઠા:અંબાજીમાં પોલીસ દ્વારા લોક દરબારનું કરાયુ આયોજન,વ્યાજખોરો સામે ફરિયાદ કરવા SPની અપીલ

રાજ્યભરમાં વ્યાજખોરો સામે સઘન મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા એસપી દ્વારા અંબાજી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા.

રાજ્યભરમાં વ્યાજખોરો સામે પોલીસ તવાઈ બોલાવી રહી છે ત્યારે વધુ વ્યાજ લેતા વ્યાજખોરો ઉપર પોલીસે લાલ આંખ કરી છે.અંબાજી ખાતે આવેલ મિસ્ત્રી ભવનમાં મોટી સંખ્યામાં અંબાજીના સ્થાનિક લોકો લોકદરબારમાં જોડાયા હતા અને તેમની રજૂઆતો કરી હતી.જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વધુ વ્યાજ લેતા વ્યાજખોરો પર કાયદેસર કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું તો સ્થાનિક લોકોએ લોક દરબારમાં પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી હતી અનેક પરિવારે વ્યાજખોરોને કારણે તેમનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે તેવી રજૂઆત કરી હતી તો પોલીસે પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી તો પોલીસે કોઈપણ વ્યાજખોર હેરાન કરે કે ત્રાસ આપે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા પણ અપીલ કરી છે.

Read the Next Article

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે નવી નગરીમાંથી રૂ.86 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર શહેરના નવી નગરીમાં દેવ સર્વિસ  સ્ટેશનની બાજુમાંથી કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

New Update
aassdf

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર શહેરના નવી નગરીમાં દેવ સર્વિસ  સ્ટેશનની બાજુમાંથી કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના નવી નગરીમાં દેવ સર્વિસ  સ્ટેશનની બાજુમાં રહેતો કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 120 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 86 હજારનો દારૂ અને ફોન મળી કુલ 92 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી દિલાવરશા દિવાનને ઝડપી પાડ્યો હતો.જ્યારે સવિતા યાદવ,લલિતા વસાવા અને અરવિંદ સુકલાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Latest Stories