બનાસકાંઠા : શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં યોજાયા યોગ ગરબા, અનેક માઈભક્તો જોડાયા...

આજરોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • આજરોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • દેશ અને દુનિયામાં અનેક લોકોએ કર્યા વિવિધ યોગાસન

  • અંબાજી મંદિર ખાતે વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી

  • વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ ગરબાનું આયોજન કરાયું

  • ચાચર ચોકમાં આયોજિત યોગ ગરબામાં લોકો ઝૂમી ઉઠ્યા

આજરોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતેશક્તિપીઠઅંબાજી મંદિરના ચાચર ચોકમાં યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે 21 જૂનના રોજ દેશ અને દુનિયામાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે ખાસ કાર્યક્રમ'યોગ સંગમહેઠળ લોકોએ વહેલી સવારે એક લાખથી વધુ સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ અનુસાર સામૂહિક રીતે યોગ કર્યા હતા. આ દરમિયાન યાત્રાધામ અંબાજી ખાતે પણ યોગ દિવસની અનોખી ઉજવણી કરવામા આવી હતી. અંબાજી મંદિરમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓબાળકોઅધિકારીઓ તેમજ મંદિરનો સ્ટાફ જોડાયો હતો. જોકેપ્રથમ વખત યોગ સાથે યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંદિરના ચાચર ચોકમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અલગ અલગ શાળાના બાળકો સહિત ગ્રામજનો પણ જોડાયા હતા. શક્તિપીઠ અંબાજીમાં યોગ દિવસે યોગ ગરબાનું આયોજન કરવામા આવ્યું હતું. આધ્યાત્મિકતા સાથે ચાચર ચોકમાં યોગ ગરબા યોજાયા હતા. અંબાજી મંદિરના ચાચર ચોકમાં લોકોએ ગરબાના તાલ સાથે યોગ કર્યા હતા.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.