ભરૂચ: મુંબઈથી રાજસ્થાનના ખાટુધામની 22મી પદયાત્રાએ નીકળેલ ચંદ્રપ્રકાશજીનું આગમન,સ્વાગત કરાયું

મુંબઈથી રાજસ્થાનના ખાટુધામની 22મી પદયાત્રાએ નીકળેલ ચંદ્રપ્રકાશજીનું ભરૂચમાં સ્વાગત કરવામાં આવ્યું હતું..

New Update
ભરૂચ: મુંબઈથી રાજસ્થાનના ખાટુધામની 22મી પદયાત્રાએ નીકળેલ ચંદ્રપ્રકાશજીનું આગમન,સ્વાગત કરાયું

મુંબઈથી રાજસ્થાનના ખાટુધામની 22મી પદયાત્રાએ નીકળેલ ચંદ્રપ્રકાશજીનું ભરૂચમાં સ્વાગત કરવામાં આવ્યું હતું..

રાજસ્થાનમાં ખાટુ શ્યામ મંદિર આવેલું છે. ભગવાન ખાટુ શ્યામના અનેક ભક્તો છે જેમાંથી અનોખા ભકત એટ્લે ચંદ્રપ્રકાશજી. ચંદ્રપ્રકાશજી મુંબઈથી રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિર સુધી 21 વખત પદયાત્રા કરી ચૂક્યા છે. હાલ તેઓ 22મી પદયાત્રાએ નીકળ્યા છે ત્યારે આજરોજ ભરૂચમાં તેઓનું આગમન થયું હતું. ભરૂચની નર્મદા ચોકડી ખાતે ભકતો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી તેમની 28 હજાર કી.મી.ની 21 પદયાત્રા પૂર્ણ થઈ છે અને હવે તેઓ તેમની 22 મી પગપાળાની યાત્રા પર ચાલી રહ્યા છે.અત્રે મહત્વપૂર્ણ છે કે ખાતુ શ્યામજીને કળિયુગમાં શ્રી કૃષ્ણ તરફથી વરદાન મળ્યું હતું કે તેઓ કલિયુગમાં તેમના નામ શ્યામથી પૂજવામાં આવશે. શ્રીકૃષ્ણ બર્બરિકના મહાન બલિદાનથી ખૂબ જ પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે કળિયુગ ઉતરતા જ તમારી શ્યામના નામે પૂજા થશે. તમારા ભક્તો નિષ્ઠાવાન હૃદયથી તમારું નામ ઉચ્ચારવાથી જ બચશે અને ગુજરાતમાં ખાટુ શ્યામ ભગવાનને બળિયા દેવ તરીકે પૂજવામાં આવે છે

Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..
Latest Stories