ભરૂચ: દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ મામલે લખીગામના ગ્રામજનોની સહાયની માંગ

દહેજની યશસ્વી કંપનીમાં બ્લાસ્ટનો મામલો, લખીગામના ગ્રામજનો દ્વારા ક્લેકટરને આવેદનપત્ર પાઠવાયું.

New Update
ભરૂચ: દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ મામલે લખીગામના ગ્રામજનોની સહાયની માંગ

દહેજની યશસ્વી કંપનીમાં થયેલ બ્લાસ્ટના કારણે નજીકમાં આવેલ લખીગામમાં મકાનોને મોટાપાયે નુકશાન થયું હતું. આ દુર્ઘટનાને એક વર્ષનો સમય વિતી ગયો હોવા છતા કંપની દ્વારા વળતર ન ચૂકવાતા ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વળતરની માંગ કરી છે.

Advertisment

દહેજમાં આવેલ યશસ્વી રસાયન કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થતાં આ દુર્ઘટનામાં 10 કામદારોએ જીવ ગુમાવ્યો હતો તો 77થી વધુ કામદારો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ એટેલો પ્રચંડ હતો કે નજીકમાં આવેલ લખીગામમાં મકાનોને ભારે નુકશાન થયું હતું. ઘટનાની ગંભીરતા સમજી તંત્ર દ્વારા ગામ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું હતું જો કે ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનાને એક વર્ષનો સમય વિતી ગયો હોવા છતા કંપની દ્વારા ગામના દરેક અસરગ્રસ્તોને વળતર ચૂકવવામાં આવતું નથી આથી દરેક ગાંજનોને વળતર ચૂકવવાની માંગ સાથે ગ્રામજનોએ ક્લેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

લખીગામના ગ્રામજનો સાથે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા પણ જોડાયા હતા. ધારાસભ્ય અરૂણસિંહ રણાએ જણાવ્યુ હતું કે અત્યાર સુધી કંપની દ્વારા 1500થી વધુ લોકોને વળતર ચૂકવવામાં આવ્યું છે પરંતુ બાકીના લોકોને પણ વળતર ચૂકવવામાં આવે એવી રજૂઆત કલેકટરને કરવામાં આવી છે અને તેઓ દ્વારા હકારાત્મક પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે આથી આવનારા દિવસોમાં અન્ય ગ્રામજનોને પણ વળતરની ચુકવણી થઈ જશે.

Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.