ભરૂચ: ધર્માંતરણના વિરોધમાં હિન્દુ જાગરણ મંચનું પ્રદર્શન

ભરૂચ જિલ્લામાં ચાલતા ધર્માંતરણના ષડયંત્રને અટકાવવા અને તે અંગે તપાસ કરવા બાબતે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

New Update
ભરૂચ: ધર્માંતરણના વિરોધમાં હિન્દુ જાગરણ મંચનું પ્રદર્શન

ભરૂચ જિલ્લામાં ચાલતા ધર્માંતરણના ષડયંત્રને અટકાવવા અને તે અંગે તપાસ કરવા બાબતે તેમજ ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ 2003 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે હિન્દુ જાગરણ મંચ દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું

તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણનું ષડયંત્ર બહાર આવ્યું છે. આ ષડયંત્ર ભારતના 24 રાજ્યોમાં ફેલાયેલું છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. આ ષડયંત્રમાં વડોદરામાંથી પણ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને ભરૂચ જિલ્લામાં પણ આ ષડયંત્રના તાર જોડાયેલા છે ત્યારે ભરૂચ જીલ્લામાં પણ મોટાપાયે ધર્માતરણ કરાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે હિન્દુ જાગરણ મંચ દ્વાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હિન્દુ જાગરણ મંચ દ્વારા શહેરના શક્તિનાથ વિસ્તારથી રેલી કાઢવામાં આવી હતી અને બાદમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું જેમાં ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ 2003 ના કાયદા પ્રમાણે તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.