ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતનો ભૂસકો મારનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો

New Update
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી  નર્મદા નદીમાં મોતનો ભૂસકો મારનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો

બે દિવસ પૂર્વે નર્મદા નદી માં ઝંપલાવનાર ભરૂચના યુવાનનો મૃતદેહ અંકલેશ્વરના તપોવન આશ્રમ પાસે મળી આવ્યો હતો. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર બાઈક મૂકી યુવકે ઝંપલાવ્યું હતું. જેને લઈને ભરૂચ અને અંકલેશ્વર પાલિકા શોધખોળ કરી રહી હતી. અંકલેશ્વર પાલિકા ફાયર ટીમ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની ટીમે મૃતદેહ શોધી બહાર કાઢ્યો હતો. 

બે દિવસ પૂર્વે એક યુવક બાઈક નર્મદા મૈયા બ્રિજ પર મૂકી નર્મદા નદીમાં ઝંપલાવ્યું હતું. તેના છેલ્લા 2 દિવસ થી ભરૂચ ફાયર ટીમ શોધી રહી હતી. દરમિયાન આજરોજ પુનઃ તેની શોધખોળ અંકલેશ્વર નગરપાલિકાની ફાયર ટીમ સાથે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેની ટીમ દ્વારા શરૂઆત કરી હતી. દરમિયાન અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામ ખાતે આવેલા તપોવન આશ્રમ પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં જોવા મળ્યો હતો.અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તેની ઓળખ કરવાના પ્રયત્ન શરુ કરતા નર્મદા નદીમાં બાઈક મૂકી ઝંપલાવનાર ઈસમ નવીનગરી કસક ભરૂચ ખાતે રહેતા 26 વર્ષીય જાદવ શૈલેષ લક્ષ્મણભાઈ હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ દ્વારા તેના કપડાં અને વર્ણન આધારે તેના પરિજનો મૃતદેહ બતાવતા તે જાદવ શૈલેષ હોવાની પુષ્ટિ થઇ હતી. જે આધારે પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતક શૈલેષ જાદવે નર્મદા નદી માં કયા કારણોસર ઝંપલાવ્યું તે અંગે વધુ તપાસ શરુ કરી હતી.

Read the Next Article

સાબરકાંઠા : હિંમતનગર ખાતે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી, રેલવેના પડતર કામો વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી

સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી રેલવેના અધિકારીઓને સાંસદે વાકેફ કર્યા

New Update
shobhnaben baraiya

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અસારવા-ઉદેપુર વંદેભારત ટ્રેન જલ્દી શરૂ થાય તેમજ હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈનનું કામ વહેલી તકે પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી. 

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થઈને રાજસ્થાન સહિત અન્ય રાજયોમાં જતી કેટલીક ટ્રેનો અમદાવાદના અસારવાથી ઉપડી વાયા હિંમતનગર થઈ પસાર થાય છેત્યારે હજુ પણ પ્રજાને જરૂરી ટ્રેન સેવા સહિત અન્ય સગવડો મળી રહી છે તે અધુરી છેત્યારે શુક્રવારે સાબરકાંઠાના સાંસદે હિંમતનગરમાં રેલ્વેના અમદાવાદવડોદારા અને અજમેર ડીવીઝનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં નવી ટ્રેનો શરૂ કરવા ઉપરાંત બંને જિલ્લામાં આવેલા રેલ્વે ઓવરબ્રિજ નીચે ચોમાસામાં ભરાઈ રહેતા પાણીના નિકાલની સમસ્યાથી અધિકારીઓને વાકેફ કરી યોગ્ય કરવાની માંગ કરી હતી.

જેના પ્રત્યુતરમાં રેલ્વેના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, ટૂંક સમયમાં ગમે ત્યારે અસારવાથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત અન્ય નવી ટ્રેન શરૂ થાય તે માટે હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની બાકીની કામગીરી પણ જલ્દી પૂર્ણ થશે તેવી હૈયાધારણ આપી હતી.

હિંમતનગર ખાતે યોજાયેલ રેલ્વે અધિકારીઓે સાથેની બેઠકમાં સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયારમણલાલ વોરાજિલ્લા કલેકટર નારાણયસીંગ સાંદુ સહિત અન્ય અધિકારીઓ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રેલ્વે તંત્ર સાબરકાંઠા-અરવલ્લી અને રાજસ્થાનની પ્રજાને વધુ ટ્રેન સેવા આપવા માટે કટીબધ્ધ છેત્યારે જલ્દીથી અસારવાથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવા માટેની આખરી તૈયારીઓને ઓપ આપી દેવાયો છે.

જે ટૂંક સમયમાં શરૂ થવાની શકયતા છે. આ ઉપરાંત બેઠકમાં ત્રણેય ડીવીઝનના સિવિલ વિભાગના અધિકારીઓ સમક્ષ સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ અનેક રેલ્વે અંડરબ્રિજમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી વાકેફે કરવામાં આવ્યા હતા. જેથી આગામી સમયમાં સાંસદ સાથે યોજાયેલ બેઠકનો અહેવાલ ઉપસ્થિત રહેલા રેલ્વેના અધિકારીઓ સત્વરે ડિવીઝન મેનેજરને સુપ્રત કર્યા બાદ આગળની કાર્યવાહી થશે તેવો દાવો કરાયો હતો.

તો બીજી તરફહિંમતનગરઈડર અને ખેડબ્રહ્મા સહિતના અન્ય રેલ્વે સ્ટેશનો પર ચાલી રહેલી કામગીરી બેઠકમાં રજુ કરાઈ હતી. જે સત્વરે પૂર્ણ કરવા માટે રેલ્વે તંત્ર કટીબધ્ધ છેતેવું કહેવાયું હતું. સાથો સાથ પ્રર્વતમાન સમયમાં હિંમતનગર થઈ દોડી રહેલી ટ્રેનોની સંખ્યાસમય અને સ્ટોપેજ વધારવા માટે પણ બેઠકમાં ઉપસ્થિત લોકોએ રજુઆત કરી હતી.

Latest Stories