Connect Gujarat
ગુજરાત

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતનો ભૂસકો મારનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી  નર્મદા નદીમાં મોતનો ભૂસકો મારનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો
X

બે દિવસ પૂર્વે નર્મદા નદી માં ઝંપલાવનાર ભરૂચના યુવાનનો મૃતદેહ અંકલેશ્વરના તપોવન આશ્રમ પાસે મળી આવ્યો હતો. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર બાઈક મૂકી યુવકે ઝંપલાવ્યું હતું. જેને લઈને ભરૂચ અને અંકલેશ્વર પાલિકા શોધખોળ કરી રહી હતી. અંકલેશ્વર પાલિકા ફાયર ટીમ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની ટીમે મૃતદેહ શોધી બહાર કાઢ્યો હતો.

બે દિવસ પૂર્વે એક યુવક બાઈક નર્મદા મૈયા બ્રિજ પર મૂકી નર્મદા નદીમાં ઝંપલાવ્યું હતું. તેના છેલ્લા 2 દિવસ થી ભરૂચ ફાયર ટીમ શોધી રહી હતી. દરમિયાન આજરોજ પુનઃ તેની શોધખોળ અંકલેશ્વર નગરપાલિકાની ફાયર ટીમ સાથે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેની ટીમ દ્વારા શરૂઆત કરી હતી. દરમિયાન અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામ ખાતે આવેલા તપોવન આશ્રમ પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં જોવા મળ્યો હતો.અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તેની ઓળખ કરવાના પ્રયત્ન શરુ કરતા નર્મદા નદીમાં બાઈક મૂકી ઝંપલાવનાર ઈસમ નવીનગરી કસક ભરૂચ ખાતે રહેતા 26 વર્ષીય જાદવ શૈલેષ લક્ષ્મણભાઈ હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ દ્વારા તેના કપડાં અને વર્ણન આધારે તેના પરિજનો મૃતદેહ બતાવતા તે જાદવ શૈલેષ હોવાની પુષ્ટિ થઇ હતી. જે આધારે પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતક શૈલેષ જાદવે નર્મદા નદી માં કયા કારણોસર ઝંપલાવ્યું તે અંગે વધુ તપાસ શરુ કરી હતી.

Next Story