ભરૂચ : ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું...

કણબીવગા વિસ્તાર સ્થિત આંબેડકર ભવન ખાતે ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું...

ભરૂચ શહેરના કણબીવગા વિસ્તાર સ્થિત આંબેડકર ભવન ખાતે ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS

ગુજરાતભરમાં આગામી સોમવારથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઇ રહ્યોં છે, ત્યારે ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણીક કિટ વિતરણ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા, કોંગી અગ્રણી અરવિંદ દોરાવાલા સહિત ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રના મહાનુભવોએ ઉપસ્થિત રહી શૈક્ષણિક કીટનું વિતરણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.