ભરૂચ: ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા જેપી કોલેજ ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે મહાશિવરાત્રીના પાવન અવસરે શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ઓડીટોરીયમ હોલ, ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ: ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા જેપી કોલેજ ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે મહાશિવરાત્રીના પાવન અવસરે શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ઓડીટોરીયમ હોલ, ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજય યોગ બોર્ડ ચેરમેન યોગસેવક શીશપાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યોગ સંવાદ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થયની સાથે સાથે પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તેના પ્રચાર- પ્રસાર માટે છે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખઃ ૨૧મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજયના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, હિદું ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવ કે જેઓને આદિયોગી અથવા પ્રથમ યોગી તરીકે ઓળખવામાં આવે છે તેઓ યોગના ક્ષેત્રમાં ખૂબ જ મહત્વપૂર્વ સ્થાન ધરાવે છે ભગવાન શિવને યોગના પ્રણેતા પણ માનવામાં આવે છે અને તેમના ઉપદેશો અનેક યોગ પ્રથાઓનો પાયો પણ છે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તથા યોગ પ્રશિક્ષક તથા મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.

Latest Stories