ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં સંતોષી વસાહત નજીક 100 ગાયનો મુખ્યમાર્ગ પર અડિંગો, સ્થાનિકોમાં અકસ્માતનો ભય

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે.

New Update
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે.
ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો જમાવડો મુખ્ય માર્ગો ઉપર જોવા મળી રહ્યો છે.લિંક રોડ ઉપર અયોધ્યા નગર પાસે પણ રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે.સાથે સ્થાનિકોએઅકસ્માતમાં કોઈનો જીવ જશે તો પાલિકા સામે માનવ વધનો ગુન્હો દાખલ કરાવવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.
Read the Next Article

ભરૂચ:  જંબુસરના ડોલીયા અને સરદારપુરા ગામ વચ્ચે રીક્ષા પલટી જતા રીક્ષા ચાલકનું મોત

ગેમલસંગ ઝવેરભાઈ ગોહિલ નામના વ્યક્તિ રીક્ષા લઇ ડોલીયા અને સરદારપુરા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ રીક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો હતો

New Update
Rickshaw Accident
ભરૂચના જંબુસર નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.ગેમલસંગ ઝવેરભાઈ ગોહિલ નામના વ્યક્તિ રીક્ષા લઇ ડોલીયા અને સરદારપુરા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ રીક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગેમલસંગ ગોહિલને ગંભીર ઈજા પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ સેવાની મારફતે તાત્કાલિક સારવાર અર્થે જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.