સરકારી સાઈકલ સડી..! : ભરૂચમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવાની 246 સાઈકલો આ’ખરે ભંગારમાં ગઈ..!

ભરૂચ જિલ્લાનામાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી 246 સાઈકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરવામાં આવતા 9 વર્ષ બાદ આખરે તેને ભંગારમાં આપવાની ફરજ પડી છે

New Update

ભરૂચ જિલ્લાનામાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદાયેલી 246 સાઈકલ વિદ્યાર્થીઓને વિતરણ ન કરવામાં આવતા 9 વર્ષ બાદ આખરે તેને ભંગારમાં આપવાની ફરજ પડી છે

ત્યારે આ મામલે અંકલેશ્વર યૂથ કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરી જરૂરી તપાસની માંગ કરવામાં આવી છે. જોકે, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સાઈકલને કયા કારણોસર ભંગારમાં આપવામાં આવી છે, તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

સરકારી યોજનાની બલીહારીના દ્રશ્યો આજે અંકલેશ્વરમાં જોવા મળ્યા હતા. અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વર્ષ 2014-15માં વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે સાઈકલની ખરીદી કરવામાં આવી હતી. પરંતુ 9 નવ વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં તંત્રના અધિકારીઓ પાસે સાઈકલનું વિતરણ કરવાનો સમય ન હોય તેમ લાગી રહ્યું છે. જોકેઆખરે હવે તમામ સાઈકલની હરાજી કરી અને તેને ભંગારમાં મોકલી દેવામાં આવી છે. આ અંગે કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર યુથ કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલાએ જણાવ્યું હતું કેગરીબ વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા સાઈકલ ખરીદવામાં આવી હતી. પરંતુ જે તે સમયે સાઈકલનું વિતરણ કરવામાં આવ્યું ન હતું. જેના કારણે આ સાઈકલનો જથ્થો ભંગારમાં આપવાની ફરજ પડી છે.

તો બીજી તરફભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહે જણાવ્યું હતું કેશિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2014-15માં જંબુસરઆમોદ અને અંકલેશ્વરમાં ખરીદાયેલ 246 નંગ સાઈકલનો હરાજી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં પડતર કિંમત 850 રૂપિયા રાખવામાં આવી હતી. જેની સામે 1 હજાર રૂપિયાના ભાવે બિનવિતરીત તમામ સાઈકલોને ભંગારમાં આપવામાં આવી છે. જોકે, રાજ્ય સરકારના પરિપત્રના આધારે આ કામગીરી કરવામાં આવી હોવાનું પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતું.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.