અંકલેશ્વર:JB મોદી હોસ્પિટલમાંથી બ્રેઇન ડેડ મહિલાના 5 અંગોનું કરાયુ દાન

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર થયેલ મહિલાના પાંચ અંગોનું ડોનેટ લાઈટ સંસ્થાની મદદથી દાન કરવામાં આવ્યું હતું.

New Update

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર થયેલ મહિલાના પાંચ અંગોનું ડોનેટ લાઈટ સંસ્થાની મદદથી દાન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાંથી અંગોનું દાન કરવામાં આવ્યું હતું.જ્યા બહેન મોદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 44 વર્ષીય સુનિતા કિરણકુમાર રજવાડીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ જયાબહેન મોદી હોસ્પિટલ અને ડોનેટ લાઈફ સંસ્થાના માર્ગદર્શન હેઠળ તેમના પુત્ર દ્વારા માતાના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો હતો.મૃતક સુનિતા બહેનના હૃદય,લીવર, કિડની અને આંખનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હૃદયનું  પ્રત્યારોપાણ  યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ, લીવર અને કિડનીનું ડ્યુઅલ ટ્રાન્સપ્લાન્ટ ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદ અને આંખનું પ્રત્યારોપાણ જી.સી. નાહર આઇ બેંક ખાતે કરવામાં આવશે.ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા ભરૂચ જિલ્લામાંથી હૃદયનું આ બીજુ દાન કરવામાં આવ્યું છે.મૃતક સુનિતાબહેન 5 લોકોના જીવનમાં નવો ઉજાશ લાવશે.આ મહાન કાર્ય માટે સુનીતબેનના પરિવારજનો અને આ કાર્ય સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનું શ્રીમતી જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.આત્મી ડેલીવાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.