અંકલેશ્વર:JB મોદી હોસ્પિટલમાંથી બ્રેઇન ડેડ મહિલાના 5 અંગોનું કરાયુ દાન

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર થયેલ મહિલાના પાંચ અંગોનું ડોનેટ લાઈટ સંસ્થાની મદદથી દાન કરવામાં આવ્યું હતું.

New Update

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર થયેલ મહિલાના પાંચ અંગોનું ડોનેટ લાઈટ સંસ્થાની મદદથી દાન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાંથી અંગોનું દાન કરવામાં આવ્યું હતું.જ્યા બહેન મોદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 44 વર્ષીય સુનિતા કિરણકુમાર રજવાડીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ જયાબહેન મોદી હોસ્પિટલ અને ડોનેટ લાઈફ સંસ્થાના માર્ગદર્શન હેઠળ તેમના પુત્ર દ્વારા માતાના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો હતો.મૃતક સુનિતા બહેનના હૃદય,લીવર, કિડની અને આંખનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હૃદયનું  પ્રત્યારોપાણ  યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ, લીવર અને કિડનીનું ડ્યુઅલ ટ્રાન્સપ્લાન્ટ ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદ અને આંખનું પ્રત્યારોપાણ જી.સી. નાહર આઇ બેંક ખાતે કરવામાં આવશે.ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા ભરૂચ જિલ્લામાંથી હૃદયનું આ બીજુ દાન કરવામાં આવ્યું છે.મૃતક સુનિતાબહેન 5 લોકોના જીવનમાં નવો ઉજાશ લાવશે.આ મહાન કાર્ય માટે સુનીતબેનના પરિવારજનો અને આ કાર્ય સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનું શ્રીમતી જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.આત્મી ડેલીવાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.