રાજ્યમાં વિકાસના વિવિધ કાર્યોને વેગ આપવામાં આવ્યો
રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગનું કરાશે નવીનીકરણ
10 કિલોમીટર PQC ફોરલેન માર્ગના કામનું ખાતમુહુર્ત કરાયું
ધારાસભ્ય રિતેશ વસાવા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
માર્ગનું નિર્માણ થતાં લોકોને ઊડતી ધૂળ સામે મળશે રાહત
સમગ્ર રાજ્યમાં વિકાસના વિવિધ કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગ પર 10 કિલોમીટર સુધીના માર્ગનું રાજપારડી ચાર રસ્તા નજીક ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ માર્ગ ઘણા સમયથી બિસ્માર હતો, અને આ માર્ગ પર ઉડતી ધૂળથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. જેને લઈ સ્થાનિકો દ્વારા અવાર નવાર રજૂઆતો કરવામાં આવી હતી, ત્યારે ઝઘડીયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા, પ્રકાશ દેસાઇ તેમજ આજુ બાજુ ગામના સરપંચો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.