ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર ઉભેલી પિકઅપ વાન સાથે પાછળથી બાઈક ભટકાય, બાઈક ચાલકને ગંભીર ઇજા

નર્મદા મૈયા બ્રિજ પર પીકઅપ વાનના ટાયરમાં પંકચર થતાં તે બ્રિજ પર ઉભી હતી તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલ બાઇક ચાલક પિકઅપ વાન સાથે ધડાકાભેર ભટકાયો

New Update
  • ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર સર્જાયો અકસ્માત

  • બાઈક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત

  • ઉભેલી પિકઅપ વાન સાથે બાઈક ભટકાય

  • બાઈક ચાલકને ગંભીર ઇજા

  • અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બાઈક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. પંકચર પડતા પીકઅપવાન સાઇડ પર ઉભી હતી તે દરમિયાન પાછળથી બાઇક ચાલક ધડાકાભેર ભટકાયો હતો
ભરૂચ અંકલેશ્વરને જોડતા મહત્વના નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માની વધુ એક ઘટના સામે આવી છે આજ રોજ સવારના સમયે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી પીકઅપ વાનના ટાયરમાં પંકચર થતાં તે બ્રિજ પર ઉભી હતી તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલ બાઇક ચાલક પિકઅપ વાન સાથે ધડાકાભેર ભટકાયો હતો જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા તે લોહી લુહાણ હાલતમાં થઈ ગયો હતો.
અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનને 108 એમબ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતના પગલે નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વાહનવ્યવહાર પુર્વવ્રત કરાવ્યો હતો.
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.